સુરતની સરકારી સ્કૂલના આચાર્યની પીઠ થાબડવી જ પડે કારણ કે...

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગણિતનો હાઉ ડરાવતો હોય છે. બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થતા હોય છે અને આ વખતે ગણિત-વિજ્ઞાનનો અભ્યાસક્રમ બદલાયો હોવાથી વિદ્યાર્થીઓને સહજ ચિંતા પણ છે.

સુરતની સરકારી સ્કૂલના આચાર્યની પીઠ થાબડવી જ પડે કારણ કે...

ચેતન પટેલ, સુરત : બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓએ કમર કસીને તૈયારી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગણિતનો હાઉ ડરાવતો હોય છે. બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થતા હોય છે અને આ વખતે ગણિત-વિજ્ઞાનનો અભ્યાસક્રમ બદલાયો હોવાથી વિદ્યાર્થીઓને સહજ ચિંતા પણ છે. આ સંજોગોમાં સુરતના સરકારી શાળાના આચાર્યે ધોરણ દસના વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે ગણિતના કુલ 70 વિડિયો બનાવ્યા છે અને તેના ક્યુઆર કોડ રીલીઝ કર્યા છે. આના કારણે વિદ્યાર્થીઓમાં મનમાં ગણિતની પરીક્ષા માટે જે ભય છે તેને દૂર કરી શકાય છે. 

એક તરફ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ મોંઘા કોચિંગ લેતા હોય છે ત્યારે મસમોટી ફી નહીં ભરી શકનાર વિદ્યાર્થીઓ માટે સુરત નગર પ્રાથમિક શાળા ક્રમાંક 114 સંત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળાનાં આચાર્ય નરેશ મહેતાએ આવનારી ધો-10ની ગણિતની પરીક્ષામાં ઉપયોગી થઇ શકે એવા નવી પેપર સ્ટાઇલના દાખલાના સોલ્યુશનના વિડિયો તૈયાર કર્યા છે. આજે દરેક લોકો પાસે સ્માર્ટ ફોન હોય છે તેથી સરકારી શાળાના આચાર્યએ આ પહેલ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઉપયોગી અને મદદરૂપ બને એવા વિડીયો અને તેના QR કોડ તૈયાર કર્યા છે. આચાર્ય નરેશ મહેતાએ "નરેશમહેતાએડયુ''ચેનલ પર અપલોડ કર્યા છે. આમાં કુલ 70 વિડિયો છે. હાલ ગણિત-વિજ્ઞાનનો અભ્યાસક્રમ બદલાયો છે જેની ચિંતા પણ વિદ્યાર્થીઓ માં જોવા મળી રહી છે ત્યારે આ QR કોડના માધ્યમથી જે વિડીયો છે તેને જોઈ બોર્ડના વિદ્યાર્થીઓને નવી પેપર સ્ટાઇલ મુજબ દાખલાઓ સમજવામાં સરળ બનશે. જો વિદ્યાર્થીઓ ને કોઇ ચેનલ કે વોટ્સએપમાં લિંક ન મેળવી શકે તો કોડ સ્કેન કરીને વિડિયો નિહાળી શકે. 

આચાર્ય નરેશ મહેતા દર વર્ષે કોઇપણ કારણસર અભ્યાસ છોડી દેનાર દીકરીઓને એક્ષ્ટર્નલ પરીક્ષા માટે ફ્રીમાં તૈયારી કરાવે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાતુર બનેલા નરેશ મહેતાના આ પ્રેરણાદાયી કાર્યને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિરદાવ્યુ હતું. નરેશ મહેતાએ જણાવ્યું હતું કે આ વર્ષે અભ્યાસક્રમ સાથે પેપરસ્ટાઇલ પણ બદલાઈ છે. એક આંકડા મુજબ દર વર્ષે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે જેમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માત્ર ગણિતમાં જ નાપાસ થઈ જતા હોય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ગણિતના પેપર ને લઈ ભયભીત અને માનસિક તાણ માં હોય છે. જેથી તેઓને આ ટેકનોલોજીના ઉપયોગથી તેમનામાં પરીક્ષાનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચારના જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news