50 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય : સૂત્ર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રિય એવા મેળાને પણ કોરોનાનું મહાસંકટ નડી શકે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી શકયતા છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

50 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય : સૂત્ર

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રિય એવા મેળાને પણ કોરોનાનું મહાસંકટ નડી શકે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી શકયતા છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ, કોંગ્રેસ-ભાજપે પોતાના ધારાસભ્યોને તાત્કાલિક બોલાવી લીધા

રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ લોકમેળાનું ઉદઘાટન રાંધણ છઠના દિવસે કરવામાં આવે છે અને ત્યારથી 5 દિવસ વિધિવત રીતે આ મેળો ખુલ્લો મુકવામાં આવતો હોય છે. આ મેળામાં નાના બાળકોથી લઇ મોટેરા અને વૃદ્ધો મજા માણવા આવતા હોય છે. દર વર્ષે અલગ અલગ થીમ આધારિત મેળાનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે. ગત વર્ષે આ મેળાને મલ્હાર નામ આપવામાં આવ્યું હતું.

અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી : ગૃહરાજ્યમંત્રી

મેળો બંધ થતા લોકોની રોજીરોટી છીનવાશે, લાખોનું ટર્ન ઓવર ખોરવાશે

દર વર્ષે રાજકોટના લોકમેળામાં ખાણી-પીણી તેમજ રમકડાં અને રાઇડ્સ મળી 300 થી વધુ પ્લોટ્સની ફાળવણી કરવામાં આવતી હોય છે. જેમાં ખાણીપીણીના 15 થી વધુ સ્ટોલ, આઈસ્ક્રીમના 15 થી વધુ સ્ટોલ, રમકડાના 200 થી વધુ સ્ટોલ તેમજ નાની મોટી 50 જેટલી યાંત્રિક રાઈડ્સ અને 40 થી વધુ ચકરડી સહિત 300 થી વધુ પ્લોટ્સ ફાળવવામાં આવે છે. આ વર્ષે જો મેળાનું આયોજન ન થાય તો આ તમામની સાથે રસ્તા પર બેસી પાથરણા પાથરી રમકડાં વેચાણ કરતા હજારો લોકોની રોજીરોટી છીનવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળાની સાથે સાથે ખાનગી મેળાનું પણ આયોજન થતું હોય છે, જે પણ 20 દિવસ સુધી ચાલુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news