રાજકોટને જૂન સુધીમાં મળશે વધુ એક શાનદાર સુવિધા! સાંસદ મોહનભાઈ કુંડારિયાનું મહત્વનું નિવેદન

રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રવાસીઓને રેલવેની વધુ સુવિધા મળે તે માટે મેં કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે. આગામી જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા અપાવવામાં આવશે. તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી વધુ ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને મળતી નથી.

 રાજકોટને જૂન સુધીમાં મળશે વધુ એક શાનદાર સુવિધા! સાંસદ મોહનભાઈ કુંડારિયાનું મહત્વનું નિવેદન

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ વંદે ભારત ટ્રેન રાજકોટને જૂન મહિના સુધીમાં મળશે તેવી જાહેરાત કરી છે. સાથે જ આજે રાજકોટને ફાટક મુક્ત કરાવવા માટે મહાનગરપાલિકા ખાતે રેલવે વિભાગ તેમજ કોર્પોરેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે બેઠક મળી હતી. 

બેઠકમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, રાજકોટના મેયર પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ રેલવે વિભાગના ડીઆરએમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં કોર્પોરેશન અને રેલવેના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

ત્યારે બેઠક પૂર્ણ થતા રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રવાસીઓને રેલવેની વધુ સુવિધા મળે તે માટે મેં કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે. આગામી જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા અપાવવામાં આવશે. તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી વધુ ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને મળતી નથી. ત્યારે ટૂંક જ સમયમાં ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતા વધુ ટ્રેન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ફાળવવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી છે. 

મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, રાજકોટને ફાટક મુક્ત બનાવવું તે અમારી પ્રાથમિકતા છે. ત્યારે આજરોજ મળેલી બેઠકમાં સાંઢીયા પુલ નવો બનાવવો માર્ગનો બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા પણ હકારાત્મક અભિગમ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં પીડી માલવયા કોલેજ પાસે સહિતના ફાટક પાસે બ્રિજ બનાવવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news