અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ થયો પોસ્ટ કોવિડ કેર વોર્ડ

અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ થયો પોસ્ટ કોવિડ કેર વોર્ડ
  • 200 દર્દીઓને પોસ્ટ કોવિડ વોર્ડમાં સારવાર આપવાની ક્ષમતા ધરાવતો વોર્ડ કારગર સાબિત થશે
  • પોસ્ટ કોવિડ દર્દીઓની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય જાળવણી કરવા સુવિધા શરૂ કરાઇ

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ શહેરમાં ડી.આર.ડી.ઓ (ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ધન્વતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલની સાથે પોસ્ટ કોવિડ કેર વોર્ડ શરૂ કરાયો હોય તેવી આ પહેલી ઘટના છે. 

ધન્વતરી કોવિડ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સારસંભાળ રાખવા પોસ્ટ કોવિડ કેર વોર્ડનો શરૂ કરાયો છે. 200 બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડમાં દર્દીની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સ્થિતિ પર વધુ ધ્યાન રાખવામાં આવશે તેમ ધન્વતરી કોવિડ હોસ્પિટલમા મેડિકલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. જયદીપ ગઢવીએ જણાવ્યું. જેમાં કોરોનાથી સાજા થઇ ગયેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવી, શારિરીક નબળાઇ અનુભવવી, મનોસ્થિતિ સારી ન હોવી આ તમામ પ્રકારની સારવારનો સમાવેશ આ વોર્ડમાં કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

પોસ્ટ કોવિડ કેરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આંગળીના ટેરવે રજિસ્ટ્રેશન ઉપલબ્ધ થાય તે માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા વેબસાઇટ પર મોબાઇલથી જ રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જે દર્દીઓને ફક્ત ઓપીડીની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ ફોલોઅપ માટે પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે પોસ્ટ કોવિડ દર્દીઓને ઘરે ઓક્સિજન કોન્સનટ્રેટરની  વ્યવસ્થા ન હોય અથવા 5 થી 10 લીટર ઓક્સિજન ક્ષમતા પર સારવારની જરૂર હોય તેવા પ્રકારના દર્દીઓ આ ક્યુઆર કોડ પર રજિસ્ટ્રેશન કરાવીને દાખલ થઇ શકશે.  

પોસ્ટ કોવિડ વોર્ડમાં આવતા દર્દીઓને ડાયટ મેનેજમેન્ટ, ફિઝીયોથેરાપી કસરતો, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર આપીને સંપૂર્ણપણે રીકવરી આવે અને જીવનશૈલી પૂર્વવત બને તે માટેની સારવાર પધ્ધતિ હાથ ધરવામાં આવશે. 

આ પણ વાંચો : ‘ઉપરવાળા તો નેતાઓ નાલાયક છે’ આવું કેમ કહ્યું કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ...

ધન્વતરી પોસ્ટ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે 
covidcare.dhanvantarihospital.in  અથવા  bit.ly/dhcovidcare પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી કાર્યરત ડી.આર.ડી.ઓ.ના તબીબો અને એડમિનીસ્ટ્રેટીવ સ્ટાફ દ્વારા મીડિયા સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. 

ડી.આર.ડી.ઓ. કોવિડ હોસ્પિટલના નોડલ કર્નલ અરવિંદે કહ્યું કે, સમગ્ર દેશમાં આવી પડેલી મહામારીમાં દેશની  ત્રણેય સંરક્ષણ પાંખોના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કદમથી કદમ મીલાવીને રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરી રહ્યા છે. સીવિલ સ્ટાફ સાથે તેમને સહકાર કરીને મદદરૂપ બનવાના શુભ આશયથી દેશના મુખ્ય પાંચ
શહેરોમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાંની અમદાવાદમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ સૌથી મોટી છે. 

કોરોનાની બીજી લહેર ઘણી ધાતક સાબિત થયેલ હોવાથી માનવજીવની રક્ષા કાજે દેશના સંરક્ષણની ત્રણેય પાંખોના જવાનો,રક્ષા દળના તબીબો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં કાર્યરત થઇ કોરોના સામેની જંગમાં સહભાગી બનીને  સમગ્ર સ્થિતિ નિયંત્રણ કરવા મદદરૂપ બની રહ્યા છે. ભારતીય નૌકાદળના કેપ્ટન દોરાઇ બાબુએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં તહેનાત તબીબોની ટૂકડીએ રાજ્યના તબીબી વહવટી તંત્ર સાથે કામ કરીને , મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને મદદ રૂપ બની કોરોનાની સમગ્ર સ્થિતિ પર નિયંત્રણ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં મહદઅંશે સફળતા મળી છે જેનો અમને આનંદ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news