ભાજપમાં જોડાવવા મુદ્દે PASS નેતા અલ્પેશ કથીરિયાનો ખુલાસો, ફેસબુક પર મૂકી પોસ્ટ

પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, શરતો પુરી કરાયા બાદ જ કોઈ નિર્ણય લેવાશે. અમે શહીદ પરિવારને નોકરીની શરત મુકવામાં આવી છે. પાટીદારો પરના કેસો પરત ખેંચવાની માંગણી કરાઈ છે.

ભાજપમાં જોડાવવા મુદ્દે PASS નેતા અલ્પેશ કથીરિયાનો ખુલાસો, ફેસબુક પર મૂકી પોસ્ટ

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક ઉલટફેર જોવા મળી શકે છે. બુધવારે મોડી સાંજે સમાચાર મળ્યા હતા કે હાર્દિક પટેલના મિત્ર PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે. હાલ પાસ નેતા અલ્પેશ કથીરિયાનો આ મામલે મોટો ખુલાસો કર્યો છે. ભાજપમાં જોડાવવા અંગે અલ્પેશ કથીરિયાએ ફેસબુક પર પોસ્ટ મૂકી છે. 

પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, શરતો પુરી કરાયા બાદ જ કોઈ નિર્ણય લેવાશે. અમે શહીદ પરિવારને નોકરીની શરત મુકવામાં આવી છે. પાટીદારો પરના કેસો પરત ખેંચવાની માંગણી કરાઈ છે. શરતોને પરિણામ બાદ આગામી નિર્ણય લેવામાં આવશે. અત્યારે રાજકીય કોઈ જ નિર્ણય પાસ સમિતીએ લીધેલો નથી.

ભાજપમાં જોડાવવા માટે અલ્પેશ કથિરીયાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સીધી ઓફર આપવામાં આવી નથી, પણ આસપાસના લોકો દ્વારા મને ભાજપમાં જોડાવવાની ઓફર આવી છે, પરંતુ મારી અમુક શરતો છે. તે શરતો પૂર્ણ થશે. તો જ ભાજપમાં જોડાઈશ અને ભાજપમાં જોડાવવા પહેલા આગેવાનો સાથે ચર્ચા કરીને આખરી નિર્ણય કરીશ.

કથિરીયાએ જણાવ્યું હતું કે, મારા કેસો પેન્ડિંગ છે. તે કેસ પાછા ખેંચવામાં આવે અને પાટીદાર આંદોલનમાં જે શહીદ થયા છે. તેમને સરકારી નોકરી મળે તે મારી મુખ્ય શરતો છે. પછી જ ભાજપમાં જોડાવવા માટે વિચાર કરીશ. આ ઉપરાંત કેસ પાછા ખેંચવામાં આવશે અને ઓફર સ્વીકાર કરો એવું હશે તો પણ ટીમ સાથે ચર્ચા વિચારણા કરીને નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે. તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. હાર્દિક પટેલ પછી પાટીદાર અનામત આંદોલનના મૂખ્ય આગેવાન તરીકે અલ્પેશ કથીરિયાનો ચહેરો જોવા મળ્યો હતો. 

મહત્વનું છે કે ચૂંટણી પહેલા ભાજપે હાર્દિક પટેલના એક સમયના સાથે અલ્પેશ કથિરીયાને પાર્ટીમાં લાવવાની તૈયારી ચાલી રહી હતી. હવે આ વાતને થોડી હવા મળી છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનના કારણે ભાજપ માત્ર 99 બેઠકો પર અટકી ગયું હતું. ત્યારે હવે ભાજપ વધુ સરસાઈથી જીત મેળવવા અલ્પેશ કથિરીયાને સામેલ કરે તેવું લાગી રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં પાટીદારને મજબૂત કરવા અને તેમના મતને ભાજપ તરફ વાળવા અલ્પેશ કથિરીયાને ભાજપમાં લઈ લેવાશે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત રીતે પ્રચાર કરી રહી છે, અને સારો એવો હોલ્ડ ઉભો કર્યો છે, તેવા રીપોર્ટસ્ છે. આથી આમ આદમીની મતબેંક કાપવા ભાજપ અલ્પેશ કથિરીયાને ભાજપમાં લઈને ધારાસભ્ય પદની ટિકિટ પણ આપી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અલ્પેશ કથિરીયા સાથે બેઠક પણ યોજાઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news