ગાંધીનગર : પંકજ કુમારને સોંપાયો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ

ગાંધીનગર : પંકજ કુમારને સોંપાયો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ
  • ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ કોને સોંપાશે તે વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. કારણે સંગીતા સિંઘનું રિટાયર્ડમેન્ટ કન્ફર્મ હતું. ત્યારે આવામા પંકજ કુમારનું નામ પહેલેથી ચર્ચામાં હતું

હિતલ પારેખ/ગાંધીનગર :ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે, ત્યારે પંકજ કુમારને તેમનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પંકજ કુમાર હાલ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ છે, ત્યારે તેઓને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જોકે, સંગીતા સિંઘ રિટાયર્ડ થવાના હતા, ત્યારે કોને ચાર્જ સોંપાશે તે ચર્ચા ગાંધીનગરમાં લાંબા સમયથી ચાલી રહી હતી. ત્યારે પંકજ કુમારના નામ પર પૂર્ણવિરામ મૂકાયું હતું. 

કોના કોના નામની હતી ચર્ચા
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ કોને સોંપાશે તે વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. કારણે સંગીતા સિંઘનું રિટાયર્ડમેન્ટ કન્ફર્મ હતું. ત્યારે આવામા પંકજ કુમારનું નામ પહેલેથી ચર્ચામાં હતું. આ ઉપરાંત અન્ય એક નામ પણ રેસમાં હતું. વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાને પણ ગૃહ વિભાગનો ચાર્જ સોંપાય તેવું ચર્ચાઈ રહ્યું હતું. ત્યારે આ બંને ઓફિસર વચ્ચે કોનુ નામ આવે તે જોવાનું હતું. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પદ પર રાજીવકુમાર ગુપ્તા કે પંકજકુમારની પસંદગી થાય તેવી શક્યતા જોવામાં આવી રહી હતી. આ સ્થિતિમાં રાજીવકુમાર ગુપ્તાને ગૃહનો હવાલો આપવામાં આવે અને પંકજકુમારને નાણા વિભાગ સોંપવામાં આવે તેવી શક્યતા હતી. જોકે ગૃહનો વધારાનો ચાર્જ પંકજકુમારને સોંપવામાં આવ્યો છે.

આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે જ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના ચાર્જની જાહેરાત થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news