Odisha Rail Accident: શક્તિસિંહ ગોહિલનો ધડાકો, 9 ફેબ્રુઆરીએ જ આપવામાં આવી હતી ચેતવણી

Odisha Rail Accident: બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈન્ટરલોકિંગ સિસ્ટમ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ જવાબદાર હોઈ શકે છે. હવે મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે આકરા પ્રહારો કર્યા છે. 

Odisha Rail Accident: શક્તિસિંહ ગોહિલનો ધડાકો, 9 ફેબ્રુઆરીએ જ આપવામાં આવી હતી ચેતવણી

Odisha Rail Accident: ઓડિશામાં થયેલ રેલવે દુર્ઘટનાને કારણે અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવી દીધા છે અને 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ અકસ્માત બાદ આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. વિપક્ષ સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું રાજીનામું માગી રહ્યા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે એક ધડાકો કર્યો છે.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે ટ્વિટ કરી જણાવ્યું કે, 9 ફેબ્રુઆરી 2023ના આંતરિક અહેવાલમાં સિગ્નલની સલામતી વિશે વાત કરતા કહેવામાં આવી હતી. જો સિગ્નલનું કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમ છતાં સરકારે આ અહેવાલ પર ધ્યાન આપ્યું ન હતું.

— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 4, 2023

બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈન્ટરલોકિંગ સિસ્ટમ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ જવાબદાર હોઈ શકે છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ગોહિલે આકરા પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

9 फरवरी 2023 की आंतरिक रिपोर्ट में सिग्नल सेफ्टी पर बात करते हुए कहा गया था कि अगर सिग्नल का काम ठीक नहीं हुआ तो बड़ी दुर्घटना हो सकती है।

फिर भी… pic.twitter.com/IVr1GBf5Qu

— Congress (@INCIndia) June 4, 2023

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news