પિતા V/s પુત્રીઓ : નિત્યાનંદ વિવાદમાં એકબીજા પર આરોપબાજી, જુઓ હવે શું કહ્યું...

નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’

પિતા V/s પુત્રીઓ : નિત્યાનંદ વિવાદમાં એકબીજા પર આરોપબાજી, જુઓ હવે શું કહ્યું...

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ કાંડ (Nityanand Ashram) મામલે ગાયબ થયેલી બંને બહેનો વિદેશમાં એક સાથે હોવાનો આખરે ખુલાસો થયો છે. બંને બહેનો પહેલીવાર એકસાથે ફેસબુક પર આવી હતી. ફેસુબક પર વીડિયો (Facebook Video) અપલોડ કરીને તેઓએ કહ્યું કે, પોલીસ તેમની શરતો માને તો ગુજરાત આવીશું. તો બીજી તરફ, પુત્રીઓનો વીડિયો સામે આવ્યા બાદ પિતા જર્નાદન શર્માએ પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દીકરીઓને મીડિયાના માધ્યમથી જવાબ આપતા કહ્યું કે, હું દરેક શરત માનવ તૈયાર છું.’

બંને બહેનોએ વીડિયોમાં શું કહ્યું...
બંને બહેનોએ એકસાથે ફેસબુક લાઈવ કરીને કહ્યું કે, અમિત શાહ કોણ છે એ હું ઓળખું છું. લોકો અનેક સવાલો પૂછે છે એ બધાના જવાબ આપવા અમે તૈયાર છીએ. અમે પ્રુવ કરવા તૈયાર છીએ. તમે શું સત્ય છે એ પ્રુવ કરો અમે ચેલેન્જ કરીએ છીએ. બધા પુરાવા સાથે અમે જવાબ આપીશું. શુ ખોટું છે શું સત્ય છે એ બધું કહીશું. જાહેરમાં ચર્ચા કરવા અમે બંને તૈયાર છીએ. આ એક માત્ર ફેમિલી ઇસ્યુ જ છે. આ એક હિન્દુત્વને લગતું કાવતરું છે. તમામ લિગલ પ્રક્રિયા માટે અમે તૈયાર છે. અમદાવાદ આશ્રમની જે સાધ્વીઓની ધરપકડ કરવામાં આવી છે તે પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વમાંથી બંનેનો તેમાં કોઈ રોલ નથી. અમે યંગ છીએ, અમારા સપનાઓ છે, પણ આ બધું અમને અવરોધરૂપ દેખાય છે.

પિતાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું....
મીડિયા સાથેની વાતમાં પિતા જર્નાદન શર્માએ કહ્યું કે, આ છોકરીઓને શોધું છું. સાધુ સંત માનીએ છીએ તે લોકો જ આવી રીતે કેવી રીતે જઈ શકે. મને એ નથી સમજાતું કે બંને સાથે લાઈવ આપે છે. પોલીસ મને સપોર્ટ કરે છે. પ્રાણપ્રિયાની મંજૂરી કે નિત્યાનંદની પરમિશન વગર નંદિતા ક્યાંય જઈ જ ન શકે. ટિકીટ ખર્ચા કેવી રીતે આ નાની બાળકી ઉઠાવી શકે. મેં બહુ જ કોન્ટેકટ કર્યા, પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી. તેઓ ભારતમાં ન હોય એવું લાગે છે. બંનેના વીડિયો પાછળ કોઈ સ્ક્રિપ્ટ લખખાવાળું તો છે જ. સ્વામી સામે ફરિયાદ કરવાનું મેં કીધું હોય તો વીડિયો રિલીઝ કરીને કહે છે પણ મારી વાત જ ન થાય તો કેવી રીતે કીધું હોય. 

તેમણે કહ્યું કે, આશ્રમમાં લોકો પર સવારમા ઠંડુ પાણી નાંખવામાં આવે છે. બેરેકમાં નાંખી દેવાય છે. સાત 10-20 દિવસ રૂમમાં રાખે છે, જેને તેઓ સ્પીરીચ્યુઅલ પ્રોસેસ કહે છે. આશ્રમમાં મારપીટ થાય છે. આ તમામ બાબત મને 8 મહિના પહેલા જ ખબર પડી છે. આ બધું હું નથી કહેતો અહીંથી નીકળેલા લોકો કહે છે. હું છોકરીઓની દરેક શરત માનવા તૈયાર છું. એ લોકો પાસે મની પાવર, પોલિટિકલ સપોર્ટ છે મારી પાસે માત્ર ભગવાન છે.

તો નિત્યાનંદે પણ વીડિયો શેર કર્યો 
બળાત્કારી નિત્યાનંદે આજે ફરીથી બીજો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. જેમાં તેણે ગુજરાત સરકાર, પોલીસ અને અદાલતને જોઈ લેવાની ધમકી આપી છે. તે વીડિયોમાં કહી રહ્યો છે કે, કેવી રીતે કોર્ટમાં લઈ જાઓ છો જોઈ લઈશ...

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news