મા લક્ષ્મીના 4 હાથ નહીં ગુજરાતના આ ગામોમાં તો ખુદ વસે છે મા લક્ષ્મીજી, કુબેરે ખોલી દીધો છે ખજાનો

આજે તમને ગુજરાતના બે ગામો વિશે વાત કરીશું તે ગામના બધા લોકો કરોડપતિ છે અને તે કેમ છે તેની પણ મેળવીશું જાણકારી. શું તમે ક્યારેય એવા ગામની કલ્પના કરી છે કે જ્યાં શાળા, કોલેજ, બેંક, લોકોનું જીવનધોરણ શહેરના લોકો કરતા સારું હોય કે પછી ગામડાની દરેક વ્યક્તિ લખપતિ કે કરોડપતિ હોય?

મા લક્ષ્મીના 4 હાથ નહીં ગુજરાતના આ ગામોમાં તો ખુદ વસે છે મા લક્ષ્મીજી, કુબેરે ખોલી દીધો છે ખજાનો

ઝી બ્યુરો/અમદાવાદ: ગામડું આ શબ્દ સાંભળતા જ ધૂળવાળા રસ્તા ગોબરવાળી ભેંસો, બાંધેલી ગાયો અને છાપરાવાળા અને લીંપણ વાળા ઘર યાદ આવે. ખાવા બનાવતા ચૂલાને ફૂંક મારતા એ ડોસીમાં યાદ આવે પણ ભાઈ આ તો 21મી સદી છે અને અમે તમને જે ગામ બતાવીશું ત્યાં ધૂળવાળા રસ્તા નહી RCCના રોડ દેખાશે. છાપરા કે લીપણ વાળા ઘરો નહીં પણ જો મળશે ગાર્ડનવાળા બંગ્લોઝ. જી, હા અમે આજે તમને ગુજરાતના બે ગામો વિશે વાત કરીશું તે ગામના બધા લોકો કરોડપતિ છે અને તે કેમ છે તેની પણ મેળવીશું જાણકારી. શું તમે ક્યારેય એવા ગામની કલ્પના કરી છે કે જ્યાં શાળા, કોલેજ, બેંક, લોકોનું જીવનધોરણ શહેરના લોકો કરતા સારું હોય કે પછી ગામડાની દરેક વ્યક્તિ લખપતિ કે કરોડપતિ હોય?

ક્યાં આવેલું છે આ ગામ
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું માધાપર નામનું આ ગામ વિશ્વના સૌથી ધનિક ગામોમાંનું એક છે. માધપર ગામની વસ્તી લગભગ 92,000 છે અને 7600 જેટલા ઘર છે. માધાપર ગામમાં 17 બેંકો આવેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ બેંકોમાં ગામના લોકોની 5000 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા છે. માધાપર એ કચ્છના મિસ્ત્રીઓ દ્વારા વસાવાયેલા 18 ગામો પૈકીનું એક ગામ છે. ગામની બેંકમાં માથાદીઠ સરેરાશ થાપણ 15 લાખ રૂપિયાની આસપાસ છે.

ગુજરાતના એવા ગામ છે કે ત્યાં દરેક લોકો કરોપતિ 
ગુજરાતના કચ્છમાં ભૂજ પાસે બળદિયા ગામ આવેલું છે. આ ગામના લોકોના બેંક ખાતામાં અરબો રૂપિયા જમા થયેલા છે. આ ગામમાં કોઇ ગરીબ નથી બધા કરોડપતિ છે. ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે.આ ગામમાં મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. બળદિયા એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે, જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે.

આ રીતે બન્યું સમૃદ્ધ ગામ
માધાપરના મોટાભાગના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. આ ગામના લોકો બ્રિટન, કેનેડા, અમેરિકા, આફ્રિકા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. પરંતુ આ લોકોએ ક્યારેય તેમના ગામની કાળજી લેવાનું બંધ કર્યું નથી. વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ અઢળક કમાણી કરી અને પોતાના પરિવારો અને ગામને સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત વિદેશમાં સ્થાયી થયેલા લોકો ગામના વિકાસ માટે પૈસા મોકલવાની સાથે ગામના વિકાસની પણ જવાબદારી લે છે.

ગુજરાતનું બીજુ કરોડપતિ ગામ માધાપર
માધાપર ગામમાં લગભગ 2 હજાર લોકોની છે,  છેલ્લા થોડા સમયમાં તો ગામમાં લીલોતરી વધી છે અને નવા તળાવો, ચેક ડેમ્સ, અને બોરવેલ પણ બન્યા છે જેનાથી ગામને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે છે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટેના બગીચા અને મંદિરો પણ આવેલા છે. ઓછી વસ્તી ધરાવતું હોવા છતા આ ગામમાં 15 બેન્ક્સ છે.

બેંકોમાં 5000 કરોડથી વધુ રૂપિયા જમા
વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના માધાપર ગામની, જે વિશ્વનું સૌથી અમીર ગામ કહેવાય છે. અહીંની વસ્તી લગભગ 92,000 છે અને અહીં લગભગ 7600 ઘર છે. અહીંના લોકો પાસે એટલા પૈસા છે કે ગામમાં જ 17 બેંકો ખોલવી પડી, જ્યાં ગ્રામજનો દ્વારા 5000 કરોડથી વધુ રૂપિયા જમા છે.

આ રીતે ગામ સમૃદ્ધ બન્યું
માધાપરના મોટાભાગના ઘરના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. અહીંના લોકો અમેરિકા, બ્રિટન, કેનેડા, આફ્રિકા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. પરંતુ આ લોકોએ ક્યારેય પોતાના ગામની ચિંતા કરવાનું બંધ કર્યું નથી. વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ ખૂબ પૈસા કમાયા અને તેમના પરિવાર અને ગામને સમૃદ્ધ બનાવ્યું. આ ઉપરાંત તેઓ ગામના વિકાસ માટે માત્ર પૈસા જ નથી મોકલતા, પરંતુ ગામના વિકાસની જવાબદારી પણ લે છે.

આ લોકોએ વસાવ્યું છે ગામ:
આ ગામ 12મી સદીમાં કચ્છના મિસ્ત્રી સમુદાય દ્વારા સ્થાપિત 18 ગામોમાંથી એક છે. આ મિસ્ત્રીઓએ ગુજરાતની મહત્વના મંદિરો અને ઈમારતો બંધાવી હતી. આ પછી, ધીમે ધીમે વિવિધ સમુદાયના લોકો અહીં સ્થાયી થવા લાગ્યા. આજે આ ગામ ગુજરાતની સભ્યતાનો મહત્વનો ભાગ છે. શાળા, કોલેજ, બેંક જેવી તમામ સુવિધાઓ અહીં હાજર છે. અહીંના લોકોની જીવનશૈલી શહેરના લોકો કરતા ઘણી સારી છે.

ગુજરાતનું ત્રીજુ કરોડપતિ ગામ છે કુકરવાડા
ત્રીજુ એક ગામ છે કુકરવાડા કે જ્યાંના લોકો કરોડપતિ છે. ગામમાં મોટાભાગના ઘરોમાંથી એક વ્યક્તિ વિદેશમાં છે. આ ગામના સૌથી વધુ લોકો અમેરિકા અને કેનેડા જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news