કોંગ્રેસના જમાઈ : લોકસભા હારે તો વિધાનસભા લડે અને વિધાનસભા હારે તો લોકસભા, પાર્ટીની ઘોર ખોદી

Jayarajsinh Parmar Statement: એક સમયે ગુજરાતમાં સત્તા અને 2017માં 77 સીટો જીતનાર કોંગ્રેસ સિંગલ ડિજિટ પર આવી જાય તો નવાઈ નહીં. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સ્થિતિ સુધરવાને બદલે વધારે બગડી રહી છે.

કોંગ્રેસના જમાઈ : લોકસભા હારે તો વિધાનસભા લડે અને વિધાનસભા હારે તો લોકસભા, પાર્ટીની ઘોર ખોદી

Jayarajsinh Parmar Attack On Congress: કોંગ્રેસમાં 11 તો જમાઈ છે, નામમાં વ્યક્તિગત નહીં પડું, હું નામ સાથે બોલી શકું પણ બોલતો નથી પણ એ લોકો લોકસભા હારે એટલે વિધાનસભા લડે અને વિધાનસભા લડે એટલે લોકસભા લડે છે. આવા 11 જમાઈ છે, એ 11 જમાઈને સાચવવા માટે આખી કોંગ્રેસ પાર્ટીની ઘોર ખોદી કાઢી છે. છેલ્લા 15 વર્ષમાં સ્થાનિક અને કોંગ્રેસનું હાઈકમાન્ડ એટલે કે લેપટોપિયા નેતાઓ જેઓ ઓક્સફોર્ડ યુનિમાં અભ્યાસ ભણેલા છે પણ પીપળા અને લિમડાના ઝાડની ખબર નથી. લોકોની નાડ પારખવામાં કોંગેસ નિષ્ફળ ગઈ છે. એમનાથી તમામ કોંગ્રેસીઓ કંટાળેલા છે. આ શબ્દો છે કોંગ્રેસ સાથે 37 વર્ષ કામ કરનાર જયરાજસિંહ પરમારના છે. જેઓ હાલમાં ભાજપમાં છે.  જયરાજસિંહે 11 કયા જમાઈઓ પર ઈશારો કર્યો એ આજે ચર્ચાને એરણે ચડ્યું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 5, 2024

એ વાત એટલી જ સાચી છે કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ પદો પર ચીટકીને બેઠા છે. જેઓ વારાફરતી રીપિટ થાય છે. ભલે ચૂંટણી નવી યોજાય પણ તમે ચહેરા તો એના એ જ જોવા મળશે. હાલમાં કોંગ્રેસની ઘોર ખોદાઈ રહી છે. એક સમયે ગુજરાતમાં સત્તા અને 2017માં 77 સીટો જીતનાર કોંગ્રેસ સિંગલ ડિજિટ પર આવી જાય તો નવાઈ નહીં. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સ્થિતિ સુધરવાને બદલે વધારે બગડી રહી છે. આજે સ્થિતિ એવી છે કે કોંગ્રેસને લોકસભાની ચૂંટણી માટે 24 મજબૂત ઉમેદવારો શોધવા ભારે પડશે. કેટલીક સીટો પર તો કેટલાક નામો પહેલેથી ફાયનલ છે. કારણ કે તેઓ હારે કે જીતે એ નેતાઓ ચૂંટણી લડીને કોંગ્રેસની હાલત બગાડી રહી છે. 

આઝાદી કાળથી મજબૂત સ્થિતિ ધરાવતી કોંગ્રેસ ગુજરાતમાં ડૂબી રહી છે. આયારામ અને ગયારામની સ્થિતિને પગલે કોંગ્રેસની હાલત કફોડી છે. છેલ્લા એક દાયકામાં 100થી વધારે નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં ચૂંટણી આવે ને જાય પણ કેટલાક નેતાઓથી પદ છૂટતું નથી. લોકસભા પહેલાં કોંગ્રેસ પાસે સ્થાનિક લેવલનું સંગઠન પણ નથી. ગુજરાતમાં કોઈ કરિશ્મા જ ભાજપને ત્રીજીવાર હેટ્રીક ફટકારતાં રોકી શકે છે. આજે જયરાજસિંહના નિવેદન બાદ કોંગ્રેસના 11 જમાઈ કોણ એ ચર્ચામાં છે. 

કોણ છે જયરાજસિંહ પરમાર
ક્ષત્રિય સમુદાયના અને ઉત્તર ગુજરાતના વતની છે, જ્યાં કોંગ્રેસની સારી પકડ હતી. જેઓ 37 વર્ષ સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. જેઓની કોંગ્રેસે લાંબા સમય સુધી અવગણના કરી હતી. છોડતા સમયે તેમને લખ્યું હતું કે તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બિનકાર્યક્ષમતાથી કંટાળી ગયા છે અને પાર્ટી પાંચ-છ નેતાઓની અંગત મિલકત બની ગઈ છે, જેઓ ચૂંટણી પણ જીતી શકતા નથી.

તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે 2007, 2012, 2017 અને 2019 (પેટાચૂંટણી) ની ચૂંટણીમાં મહેસાણાની ખેરાલુ વિધાનસભા મતવિસ્તાર માટે ટિકિટ માંગી હોવા છતાં, કોંગ્રેસ દ્વારા તેમને ઉમેદવારી આપવામાં આવી ન હતી. જેઓ ભાજપમાં જોડાયા બાદ આજે ભાજપમાં પાર્ટીના પ્રવક્તા સાથે ભાજપના ઓપરેશન લોટસ સમિતિના સભ્ય પણ છે. એક હોશિયાર નેતા હોવાની સાથે તેમની કોંગ્રેસમાં એક સમયે સારી પક્કડ હોવાથી ભાજપે આ કમિટીમાં તેમનો સમાવેશ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news