ગુજરાત રાજ્યનાં પુરવઠ્ઠા મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોમ ક્વોરન્ટાઇન થયા

કોરોના હાલ જાણે રાજકીય યાત્રાએ નિકળ્યો હોય તેમ એક પછી એક ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ગુજરાતનાં એક પછી એક મંત્રીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. રાજ્યનાં ખાદ્ય, નાગરિક પુરવઠ્ઠા અને ગ્રાહકો બાબત તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી જયેશ રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તેની સાથે હતા. તેમને થોડા દિવસોથી કોરોનાના લક્ષણો પણ જણાતા હતા. જેથી તેમણે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

ગુજરાત રાજ્યનાં પુરવઠ્ઠા મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોમ ક્વોરન્ટાઇન થયા

અમદાવાદ : કોરોના હાલ જાણે રાજકીય યાત્રાએ નિકળ્યો હોય તેમ એક પછી એક ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. ગુજરાતનાં એક પછી એક મંત્રીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. રાજ્યનાં ખાદ્ય, નાગરિક પુરવઠ્ઠા અને ગ્રાહકો બાબત તથા કુટીર ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી વિભાગના મંત્રી જયેશ રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન તેની સાથે હતા. તેમને થોડા દિવસોથી કોરોનાના લક્ષણો પણ જણાતા હતા. જેથી તેમણે ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવવા વિનંતી.

— Jayesh Radadiya (@ijayeshradadiya) September 14, 2020

આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હું હોમ ક્વોરન્ટાઇન થઇ રહ્યોછું. તેમણે છેલ્લા અઠવાડીયા દરમિયાન તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનાં કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત પોતાની તબીયત પણ સ્થિર હોવાની તેમણે માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

આ ઉપરાંત રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપ દ્વારા નવા પ્રમુખ તરીકે સી.આર પાટીલની નિમણુંક કરવામાં આવ્યા બાદ તેમણે ગુજરાતનાં રાજકારણને સમજવા માટે અને નેતાઓ સાથે મુલાકાત માટે અલગ અલગ પ્રાંતોમાં રેલીઓ યોજી હતી. જેનો ખુબ જ વિરોધ પણ થઇ રહ્યો હતો. આટલું જ નહી પરંતુ તેના કારણે મોટા પ્રમાણમાં કોરોના ફેલાયો હોવાનો આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news