Gujarat Corona Update: ગુજરાતે કોરોના પર મેળવ્યો કાબૂ, આજે માત્ર 544 નવા કેસ નોંધાયા

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 12,711 એક્ટિવ દર્દી છે, જે પૈકી 316 લોકો વેન્ટિલેટર પર છે અને 12,395 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,96,208 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,976 લોકોનાં મોત નિપજ્યાં છે.

Gujarat Corona Update: ગુજરાતે કોરોના પર મેળવ્યો કાબૂ, આજે માત્ર 544 નવા કેસ નોંધાયા

ગાંધીનગર: દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 600 થી નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 544 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1,505 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.23 ટકાએ પહોંચ્યો હતો. 

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 12,711 એક્ટિવ દર્દી છે, જે પૈકી 316 લોકો વેન્ટિલેટર પર છે અને 12,395 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,96,208 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,976 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1, અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

આ ઉપરાંત જુનાગઢમાં 1, અમરેલીમાં 1, મહીસાગરમાં 1, મહેસાણામાં 1, જામનગરમાં 1, અને ભાવનગરમાં 1 એમ કુલ રાજ્યમાં 11 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news