Gujarat Corona Update: નવા 316 કેસ 335 દર્દી રિકવર થયા, 9 મહિના બાદ રાજ્યમાં એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 316 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 335 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,53,703 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Gujarat Corona Update: નવા 316 કેસ 335 દર્દી રિકવર થયા, 9 મહિના બાદ રાજ્યમાં એક પણ મોત નહી

હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 316 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 335 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,53,703 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.00 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3,450 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 33 છે. જ્યારે 3,417 લોકો સ્ટેબલ છે. 2,53,703 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4387 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 9 મહિના પછી પહેલી વાર કોરોનાને કારણે ગુજરાતમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું. 

રસકરણ અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ
બીજી તરફ કોરોનાનાં રસીકરણનો પણ પ્રારંભ થઇ શક્યો છે. આજે બીજા તબક્કાનું રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. કુલ 752 કેન્દ્રો પર 54,825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 3,00,755 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે કોઇ આડઅસર થઇ નથી. આજ રોજ હેલ્થ કેર વર્કર ઉપરાંત ફ્રન્ટલાઇન વર્કર્સને પણ રસીકરણમાં આવરી લેવાયા. જેમાં રાજ્યમાં 3 મ્યુનીસીપલ કમિશ્નર, 19 કલેક્ટર, 11 જિલ્લા વિકાસ અધિકારી અને 23 સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ દ્વારા રસી લેવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news