GUJARAT CORONA UPDATE: નવા 2502 કેસ, 7487 રિકવર થયા, 28 ના મોત

ગુજરાતમાં આજે કોરોનાના આંકડાઓમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે કોરોનાના નવા 2502 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે 7487 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,61,305 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 96.23 ટકાએ પહોંચ્યો હતો. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,25,892 રસીના ડોઝ અપાયા હતા. 
GUJARAT CORONA UPDATE: નવા 2502 કેસ, 7487 રિકવર થયા, 28 ના મોત

ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના આંકડાઓમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે કોરોનાના નવા 2502 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે 7487 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,61,305 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 96.23 ટકાએ પહોંચ્યો હતો. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 3,25,892 રસીના ડોઝ અપાયા હતા. 

હાલ કુલ 33631 એક્ટિવ કેસ છે. જે પૈકી 199 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 33432 સ્ટેબલ છે. બીજી તરફ 1161305 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10716 દર્દીઓનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 28 નાગરિકોનાં મોત થયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ અને 18374 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 4263 ને પ્રથમ અને 66797 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19043 ને પ્રથમ અને 55587 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના તરૂણો પૈકી 16505 ને પ્રથમ અને 106323 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 38980 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 325892 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 100206717 રસીના ડોઝ અપાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news