પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ગુજરાત કોંગ્રેસ આવતીકાલે કરશે વિરોધ પ્રદર્શન

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવાડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, નીતિન પટેલ lockdown ના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે. તો સવાલ એ છે કે શું lockdown માં ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકસાન થયું નથી? તેમનું બજેટ ખોરવાયું નથી? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થીક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરી ઓ છુટી ગઇ ધંધા રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી?
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ગુજરાત કોંગ્રેસ આવતીકાલે કરશે વિરોધ પ્રદર્શન

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવાડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, નીતિન પટેલ lockdown ના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે. તો સવાલ એ છે કે શું lockdown માં ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકસાન થયું નથી? તેમનું બજેટ ખોરવાયું નથી? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થીક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરી ઓ છુટી ગઇ ધંધા રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી?

શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી, ધોરણ 12માં તમામ વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં ગેરહાજર બતાવાયો

કોંગ્રેસે કહ્યું કે, સરકારની આવક ઘટી તો તેનો ભાર પ્રજા પર કેમ. સરકારે નકલી ઉત્સવો અને જાહેર ખબર પાછળના ખર્ચ બંધ કરવો જોઇંએ. મુખ્યમંત્રી માટે લેવાયેલું 200 કરોડનું વિમાન કેમ રદ ન કરવું જોઇંએ એ સવાલ છે. ભાજપા સરકારની નિતિ છે કે લોકો પાસેથી રોકડા વસૂલી રાહત માટે લોકોને બેંકમાં મોકલવાનાં આવે છે. 22 વર્ષમાં કરોડની જમીન ઉદ્યોગપતિઓને મફતમાં આપી ત્યારે સરકારી તિજોરી પર અસર થઇ ન હતી. 

કોંગ્રસ અને ભાજાપાના શાસનમાં પેટ્રોલ અને ડિઝલના ભાવની સરખામણી કરતાં અમિત ચાવડાએ કહ્યું કે, યુપીએ સરકાર વખતે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૦૭ ડોલર પ્રતિ  ડોલર હતો અને આજે 40 ડોલર પ્રતિ બેરલ છે. 66 ડોલરના ઘટાડા છતાં ગ્રાહકોને તેનો લાભ મળતો નથી. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલનો ભાવ 71 રૂપિયા હતો, જ્યારે આજે 76 રૂપિયા છે. ડીઝલનો ભાવ 55 રૂપિયા હતો, જ્યારે આજે 74.60 રૂપિયા છે. કોંગ્રેસના શાસનમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 9.20 રૂપિયા હતી. આજે ભાજપના શાસનમાં ૩૩ રૂપિયા પ્રતિ લિટર છે. ડિઝલ પર ૩.૪૬ રુપિયા હતી, આજે ૩૧.૮૩ રૂપિયા લેવાય છે. પેટ્રોલે પરની એક્સાઇઝ ડ્યુટીમાં 258 ટકા અને ડિઝલ પર 820 ટકાનો વધારો થયો. આ સરકાર રાહત આપવામાં સમજતી નથી. સસ્તા ક્રૂડનો ફાયદો લોકોને મળતો નથી. આ સરકારે પ્રજાને લૂટી સરકારી તિજોરી ભરવાની નિતી રાખી છે. કોંગ્રેસ સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આવતી કાલે જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news