પૂર્વ IPS સંજીવ ભટ્ટની ધરપકડનો મામલો, NDPSના ખોટા કેસમાં પાલનપુર કોર્ટમાં કરાશે રજૂ

પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1998માં NDPSના ખોટા કેસ મામલે આજે પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે
 

પૂર્વ IPS સંજીવ ભટ્ટની ધરપકડનો મામલો, NDPSના ખોટા કેસમાં પાલનપુર કોર્ટમાં કરાશે રજૂ

ગાંધીનગર: પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની બુધવાર(5 સપ્ટેમ્બર)ના રોજ સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા અટકાયત કર્યા બાદ ઘરપકડ કરવામાં આવી હતી. 1998ના NDPSના ખોટા કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત સાત જેટવા પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક નિવૃત પી.આઇ વ્યાસનો પણ સમાવેશ થાય છે. પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને ખોટા કેસ મામલે આજે પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સી.આઇ.ડી ક્રાઇમ આ અંગે વધુ તપાસ માટે સંજીવભટ્ટના રિમાન્ડ માંગી શકે છે. પાલનપુર કોર્ટ આ અંગે સીઆઇડી ક્રાઇમને વધુ તપાસ માટે રીમાન્ડ આપે તેવી શક્યાતાઓ છે

શુ છે સમગ્ર મામલો
1998માં સંજીવ ભટ્ટ જ્યારે બનાંસકાઠા જિલ્લાના એસ.પી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન ખોટો નાર્કોટીક્સ કેસ સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અંગે થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન થઇ જેથી હાઇકોર્ટે સીઆઇડીને ખાસ તપાસ પંચ તૈયાર કરીને તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ કેસમાં સંજીવ ભટ્ટ દ્વારા કેવી રીતે ખોટો કેસ કરવામાં આવ્યો તે અંગેનું નિવેદન ધરપકડ કરાયેલા તમામ પોલીસ અધિકારીઓએ નિવેદન લઇ લેવામાં આવ્યા છે. હવે એ જોવાનું રહેશે કે સંજીવ ભટ્ટને કોર્ટ કેવા પ્રકારનો નિર્ણય લે છે.

સંજીવ ભટ્ટ સરાકાર વિરોધી હોવાથી રહે છે ચર્ચામાં
પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દેશના પ્રસિદ્ધ પોલીસ અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના સી.એમ હતા તે દરમિયાન પણ સંજીવ ભટ્ટ અને મોદી વચ્ચે સંબંધો સારા ન હોવાથી અનેક વાર ચર્ચામાં આવી ચૂક્યા છે. સંજીવ ભટ્ટ અનેક વાર સરકારના વિરોધમાં નિવેદનો આપાવાના કારણે  સંજીવ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છ, સંજીવ ભટ્ટ હાર્દિક પટેલને તેના આમરણાંત ઉપવાસ કરવાથી તેને મલવા જતા સરકારે સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ગાળીયો કસી લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news