PM modi ને ટાર્ગેટ કરવા જતાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ભરાયા, થઈ પોલીસ ફરિયાદ

FIR Against AAP Isudan Gadhvi : આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની મુશ્કેલીમાં વધારો... અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ... PM મોદીના મન કી બાત કાર્યક્રમના ખર્ચ અંગે કર્યુ હતું ટ્વીટ...   
 

PM modi ને ટાર્ગેટ કરવા જતાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ભરાયા, થઈ પોલીસ ફરિયાદ

Mann Ki Baat : આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીઓ સતત વધતી જાય છે. દિલ્હીમાં કેજરીવાલથી લઈને સિસોદિયાની સમસ્યાઓ પૂરી થઈ રહી નથી. ગુજરાતમાં સુરતમાં આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા બાદ ઈસુદાન ગઢવી દાવો કરતાં હતા કે ધારાસભ્યોને પણ ખરીદવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. આમ આપ માટે એક સાંધતાં તેર તૂટે તેવા ઘાટ વચ્ચે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા જતાં ઈસુદાન ગઢવી ભરાઈ ગયા છે. એક નાગરિકે પોલીસ ફરિયાદ કરતાં ગઢવીને આ કાર્યવાહીમાંથી બહાર નીકળતાં નાકે દમ આવી જશે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆરને પગલે હવે પોલીસ આગામી દિવસોમાં એમની સામે કાર્યવાહી કરે તો પણ નવાઈ નહીં. એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી છે.

ગુજરાતમાં ફરિયાદમાં એવો આરોપ લાગ્યો છે કે નાગરિકોને મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે ગેરમાર્ગે દોરવામાં આવી છે. એમને જે Tweet કર્યા છે. એમાં ખોટા આંકડાઓ રજૂ કરીને લોકોને ખોટી માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો.  આ મામલે એક્ટિવ થઈને  PIBએ ખુલાસો કરી ઈસુદાન ગઢવીના tweetને ભ્રામક ગણાવ્યું હતું. જે બાદ સમગ્ર મામલા અંગે સાઇબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

▪️This Claim is #Misleading
▪️₹ 8.3 cr is total figure of ads for Mann ki Baat till said date, not for a single episode. Tweet assumes each episode is supported by ads. Which is false pic.twitter.com/oaYFYIgv1F

— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2023

PIBના અહેવાલ પ્રમાણે, ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં 8 કરોડ 3 લાખ ખર્ચ થતો હોવાનું Tweet કર્યુ હતું. ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. બે દિવસ અગાઉ કરેલા આ Tweetને ગઈકાલે ઈસુદાન ગઢવીના ટ્વિટર હેન્ડલ પરથી હટાવાયું છે. આ મામલે PIBની ફેક્ટ ચેકની ટીમ મીસ લિડિંગ માહિતી હોવાનો દાવો કર્યો છે અને ઈસુદાનને ખોટા ઠેરવ્યા છે.  આ મામલે ગોપાલ ઈટાલીયાએ કહ્યું છે કે, ખોટી ફરિયાદ કરવામાં આવી છે. મન કી બાતમાં કેટલો ખર્ચ થયો તે જાહેર કરવો જોઈએ. ભાજપમાં ફરિયાદ રાજ ચાલી રહ્યું છે, આપથી ડરી ગયા છે એટલે ફરિયાદ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news