આખરે એક જ સીધી રેખામાં કેમ બનેલા છે શિવના આ 7 મંદિરો? જાણો શું છે રહસ્ય

આ મંદિરો લગભગ 4,000 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યા હતા, જ્યારે સ્થાનોના અક્ષાંશ અને રેખાંશને માપવા માટે કોઈ ઉપગ્રહ તકનીક ઉપલબ્ધ ન હતી. પરંતુ આ તમામ મંદિરો યૌગિક ગણતરીના આધારે બનાવવામાં આવ્યા છે. આ રેખાના એક છેડે ઉત્તરમાં કેદારનાથ અને દક્ષિણમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગ છે. આ રેખા ઉત્તરથી દક્ષિણને જોડે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આ મંદિરોની સ્થાપના કરવામાં આવી હતી.

આખરે એક જ સીધી રેખામાં કેમ બનેલા છે શિવના આ 7 મંદિરો? જાણો શું છે રહસ્ય

Mahashivratri 2023: માન્યતાઓ અનુસાર ઉત્તરાખંડમાં કેદારનાથ અને દક્ષિણ ભારતમાં રામેશ્વરમ વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ છે. આ બંને મંદિર ભગવાન શિવના છે. બંને જ્યોતિર્લિંગ દેશાંતર રેખા એટલે કે લૉન્ગિટ્યૂડ પર 79 ડિગ્રી પર છે. આ બે જ્યોતિર્લિંગો વચ્ચે પાંચ શિવ મંદિરો પણ છે જે બ્રહ્માંડના પાંચ તત્વો એટલે કે પાણી, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે.

કેવી રીતે એક સૂત્રમાં બંધાયેલા છે સાત મંદિરો?
ઉત્તરાખંડનું કેદારનાથ, તમિલનાડુનું અરુણાચલેશ્વર, થિલાઈ નટરાજ, જંબુકેશ્વર, એકમ્બેશ્વરનાથ, આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી શિવ મંદિર, આખરે રામેશ્વરમ મંદિર એક સીધી રેખામાં સ્થાપિત થયા છે.  માનવામાં આવી રહ્યું છે કે, શ્રીકાલહસ્તી શિવ મંદિર પાણી, એકંબેશ્વરનાથ મંદિર અગ્નિ, અરુણાચલેશ્વર મંદિર હવા, જંબુકેશ્વર મંદિર પૃથ્વી અને થિલાઈ નટરાજ મંદિર આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. આ તમામ મંદિરો 79 ડિગ્રી રેખાંશની ભૌગોલિક સીધી રેખામાં બાંધવામાં આવ્યા છે. આ રેખાને 'શિવ શક્તિ અક્ષ રેખા' પણ કહેવામાં આવે છે.

આ મંદિરો લગભગ 4,000 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યા હતા, જ્યારે સ્થાનોના અક્ષાંશ અને રેખાંશને માપવા માટે કોઈ ઉપગ્રહ તકનીક ઉપલબ્ધ ન હતી. પરંતુ આ તમામ મંદિરો યૌગિક ગણતરીના આધારે બનાવવામાં આવ્યા છે. આ રેખાના એક છેડે ઉત્તરમાં કેદારનાથ અને દક્ષિણમાં રામેશ્વરમ જ્યોતિર્લિંગ છે. આ રેખા ઉત્તરથી દક્ષિણને જોડે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આ મંદિરોની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે અક્ષાંશ અને રેખાંશનું ધ્યાન રાખવામાં આવ્યું હશે.

ભારતનું ગ્રીનવિચ છે ઉજ્જૈન
આ તમામ મંદિરોની વચ્ચે ભારતનું વિશેષ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે ઉજ્જૈનમાં સ્થાપિત છે. પશ્ચિમી દેશો પહેલા ઉજ્જૈનમાં સમયની ગણતરીની અવધારણા થઈ ચૂકી હતી. ઉજ્જૈનને ભારતનું મધ્ય મેરિડીયન માનવામાં આવતું હતું. પૃથ્વી અને આકાશની સાપેક્ષતામાં ઉજ્જૈનને મધ્યમાં માનવામાં આવે છે. સમયની ગણતરી પ્રમાણે શાસ્ત્રોમાં ઉજ્જૈન ઉપયોગી રહ્યું છે.

ભૌગોલિક ગણતરીઓના આધારે પ્રાચીન વિદ્વાનોએ ઉજ્જૈનને શૂન્ય રેખાંશ પર માન્યું છે. સાથે એવું પણ માનવામાં આવ્યું છે કે કર્ક રેખા પણ અહીંથી નીકળે છે. ગ્રીક ગણિતજ્ઞ ક્લાડિયસ ટોલમીનું પણ માનવું હતું કે ઉજ્જૈન ભૌગોલિક દ્રષ્ટિકોણથી ખૂબ જ વિશિષ્ટ છે. ગ્રીક સભ્યતામાં ઉજ્જૈનને ઓજીન નામથી ઓળખવામાં આવતું હતું. તે સમયે ઉજ્જૈન વિશ્વના પ્રખ્યાત શહેરોમાંનું એક હતું.

આવો જાણીએ આ સાત મંદિર એક જ લાઇનમાં કેવી રીતે બનેલા છે.

1. કેદારનાથ ધામ
આ મંદિર 79.0669 ડિગ્રી રેખાંશ પર આવેલું છે. કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. તેને અર્ધજ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. નેપાળના પશુપતિનાથ મંદિરનો સમાવેશ કરીને તે પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે આ મંદિર મહાભારત કાળમાં પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આદિશંકરાચાર્યએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

2. શ્રીકાલાહસ્તિ મંદિર
તે આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં છે. તિરુપતિથી 36 કિમી દૂર સ્થિત શ્રીકાલહસ્તી મંદિરને પાંચ તત્વોમાં પાણીનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે. આ મંદિર 79.6983 ડિગ્રી E રેખાંશ પર આવેલું છે.

3. એકમ્બરેશ્વર મંદિર
આ મંદિર 79.42'00' પૂર્વ રેખાંશ પર આવેલું છે. અહીં ભગવાન શિવને પૃથ્વી તત્વના રૂપમાં પૂજવામાં આવે છે. આ વિશાળ શિવ મંદિરનું નિર્માણ પલ્લવ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને બાદમાં ચોલ અને વિજયનગરના રાજાઓએ તેમાં સુધારો કર્યો હતો. આ મંદિરમાં પાણીને બદલે જાસ્મિન સુગંધિત તેલ ચઢાવવામાં આવે છે.

4. અરુણાચલેશ્વર મંદિર
આ મંદિર 79.0677 E ડિગ્રી રેખાંશ પર આવેલું છે. તે તમિલ સામ્રાજ્યના ચોલવંશી રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

5. જંબુકેશ્વર મંદિર
આ મંદિર લગભગ 1800 વર્ષ જૂનું છે. તેના ગર્ભગૃહમાં હંમેશા પાણીનો પ્રવાહ વહે છે.

6. થિલાઈ નટરાજ મંદિર
આ મંદિર 79.6935 E ડિગ્રી રેખાંશ પર આવેલું છે. તેનું નિર્માણ આકાશ તત્વ માટે કરવામાં આવ્યું છે. આ મંદિર મહાન નૃત્યાંગના નટરાજના રૂપમાં ભગવાન શિવને સમર્પિત છે. 108 નૃત્ય મુદ્રાઓનું સૌથી જૂનું ચિત્ર માત્ર ચિદમ્બરમમાં જ જોવા મળે છે.

7. રામેશ્વરમ જ્યોતિર્લિંગ
એવું માનવામાં આવે છે કે રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના શ્રીરામે લંકા ચઢાઈ પહેલા કરી હતી. તે 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news