સુરત : હોટલના ટેરેસ પર ચાર યુવાનોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત

સુરતના માંગરોળના ધામરોડ નજીક આવેલી સાઈ સીતારામ હોટલ નજીક આવેલ પાણીના ટાંકા પાસે ચાર યુવકોને કરંટ લાગવાની ઘટના બની છે. જ્યાં સારવાર દરમ્યાન બે યુવકોના મોત નિપજ્યા છે. કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
સુરત : હોટલના ટેરેસ પર ચાર યુવાનોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત

કરણસિંહ ગોહિલ/સુરત :સુરતના માંગરોળના ધામરોડ નજીક આવેલી સાઈ સીતારામ હોટલ નજીક આવેલ પાણીના ટાંકા પાસે ચાર યુવકોને કરંટ લાગવાની ઘટના બની છે. જ્યાં સારવાર દરમ્યાન બે યુવકોના મોત નિપજ્યા છે. કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સૌરાષ્ટ્રમાં મેઘ મહેર : ગીરની શાંગાવાડી નદીમાં પૂર, કોડીનારમાં મકાન પર વીજળી ત્રાટકી

સુરતના માંગરોળના ધામરોડ ગામની આ ઘટના છે. ધામરોડ ખાતે આવેલી સાઈસીતારામ હોટલમાં હોટલમાં કામ કરતા ચાર યુવાનોને હોટલના ટેરેસ પર કરંટ લાગ્યો હતો. ચાર પેકી બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ તેમના પરિવારજનો કોસંબા પોલીસ મથકે દોડી આવ્યા હતા. ત્યારે યુવકોના પરિવારજનો હોટલની બેદરકારીના કારણે કરંટ લાગ્યો હોવાનો આક્ષેપ લગાવી રહ્યાં છે. આ ઘટના બાદ હોટલ કામદારોની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news