આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર; લાખો લોકોનો લાગશે દરબાર, જાણો સમગ્ર કાર્યક્રમ

ભક્તોનું કહેવું છે કે સનાતની બાબાના દર્શન કરવા જ એક મોટી વાત છે. તેમના મુખે હનુમાન કથા સાંભળી લને જ કષ્ટો દૂર થઈ જાય છે. તો બાબા ભક્તોની સમસ્યાની ચિઠ્ઠી ખોલીને તેમના દુઃખો હરિ લેશે. જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ઉમટી પડ્યા છે. 

આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર; લાખો લોકોનો લાગશે દરબાર, જાણો સમગ્ર કાર્યક્રમ

Dhirendra Krishna Shastri: અલકેશ રાવ/બનાસકાંઠા: આજથી પવિત્રધામ અંબાજી ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રી દિવસીય દિવ્ય દરબાર યોજાવવાનો છે. જેને લઈને ન ફક્ત ગુજરાત પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી બાબા બાગેશ્વરના ભક્તો પોતાની વિવિધ મનોકામના લઈને અંબાજી ઉમટી પડ્યા છે. ફક્ત બાબાની એક ઝલક જોવા માટે આતુર છે.

ભક્તોનું કહેવું છે કે સનાતની બાબાના દર્શન કરવા જ એક મોટી વાત છે. તેમના મુખે હનુમાન કથા સાંભળી લને જ કષ્ટો દૂર થઈ જાય છે. તો બાબા ભક્તોની સમસ્યાની ચિઠ્ઠી ખોલીને તેમના દુઃખો હરિ લેશે. જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ઉમટી પડ્યા છે. 

દિવ્ય દરબારમાં લાખો લોકો આવવાની અપેક્ષા છે. જેને જોતા અંબાજી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. પોલીસ અને ટ્રાફિક પોલીસે અનેક જગ્યાએ ચેકિંગ પોઈન્ટ બનાવ્યા છે દરબારમાં કોઈ અરાજકતા ન સર્જાય તે માટે અલગથી આયોજન કરવામાં આવ્યું છે. જીએમડીસી ગ્રાઉન્ડ તરફ જતા ટ્રાફિક પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ 15 થી 20 તારીખ સુધી ગુજરાતમાં રહેશે. ત્યારબાદ ત્રણ દિવસ અમદાવાદમાં દિવ્ય દરબાર થશે. આ દરમિયાન તેમને સાળંગપુર હનુમાન મંદિરના વિવાદને લઈ પૂછવામાં આવતાં કહ્યું, હનુમાનજીના ભીંત ચિત્રના વિવાદ વિશે અજાણ છું. રામ અને હનુમાનજી મુદ્દે જે પણ વિવાદ થાય છે તે ન થવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news