ભાનુશાળી હત્યાઃ રાહુલ અને નીતિનના 7 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે 20 કારણો સાથે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે 7 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે 

ભાનુશાળી હત્યાઃ રાહુલ અને નીતિનના 7 દિવસના રિમાન્ડ મંજૂર

ઉદય રંજન/અમદાવાદઃ ભાજપના કચ્છના વરિષ્ઠ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના સંદર્ભે ગુરુવારે પોલીસે છબીલ પટેલના ફાર્મ હાઉસમાં કામ કરતા રાહુલ પટેલ અને નીતિન પટેલની ધરપકડ કરી હતી. રેલવે પોલીસ દ્વારા શુક્રવારે આ બંને આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેમને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 

રેલવે પોલીસે જુદા-જુદા 20 કારણો રજૂ કરીને રાહુલ અને નીતિનની પુછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેની સામે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 

પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા કારણ

  • શાર્પ શૂટર 12 દિવસ સુધી છબીલ પટેલના ફાર્મમાં રોકાયા હતા 
  • શાર્પશૂટરને રહેવા અને વાહનની સગવડ આપી રાહુલ અને નીતિને કરી આપી હતી 
  • આ બંને આરોપીઓએ શાર્પશૂટરને ભૌગોલીક સ્થિતીનો પરિચય કરાવ્યો હતો
  • આરોપીઓ શાર્પ શૂટરની સાથે રાત-દિવસ રહેતા હતા અને ભાનુશાળીની રેકી કરવામાં પણ મદદ કરી હતી 
  • આરોપીઓએ શાર્પ શૂટરને જયંતી ભાનુશાળીની હત્યાને અજામ આપવામાં સાથ આપ્યો હતો

હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને આખી રાત પુછપરછ કરી હતી. પુછપરછ કર્યા બાદ શુક્રવારે તેમને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા. આ બંને આરોપી જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય કાવતરાખોર છબીલ પટેલના ખાસ માણસો હતો અને એટલા માટે જ તેમને શાર્પ શૂટરને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આથી, તેમની પાસેથી ઘણી બધી માહિતી બહાર આવી શકે એમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news