પોરબંદરમાં આત્મહત્યાની વણઝાર : એક જ દિવસમાં 6એ જીવન ટૂંકાવ્યું, જેમાં 5 તો મહિલાઓ

પોરબંદરમાં એક જ દિવસમાં આત્મહત્યાએ મોટી વણઝાર સર્જી દીધી છે. પોરબંદર જિલ્લામા એક જ દિવસમા આત્મહત્યાના 6 બનાવો બન્યા છે. જેમાં 5 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. 

પોરબંદરમાં આત્મહત્યાની વણઝાર : એક જ દિવસમાં 6એ જીવન ટૂંકાવ્યું, જેમાં 5 તો મહિલાઓ

અજય શીલુ/પોરબંદર :સહનશક્તિની હદ વટાવી જાય ત્યારે લોકો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે. ગુજરાતમાં અનેક શહેરોમાં રોજેરોજ આત્મહત્યાના અનેક બનાવો સામે આવતા હોય છે. પણ પોરબંદરમાં એક જ દિવસમાં આત્મહત્યાએ મોટી વણઝાર સર્જી દીધી છે.  પોરબંદર જિલ્લામા 1 મેના રોજ એક જ દિવસમા આત્મહત્યાના 6 બનાવો બન્યા છે. જેમાં 5 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. 

  • પોરબંદરના મેમણવાડામા 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી
  • પોરબંદરના દ્વારકાપુરી સોસાયટીમા 23 વર્ષીય પરણીતાએ સાસરા પક્ષે કોઈ તેડવા ન આવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી 
  • રાણાવાવના આદિત્યાણામા 23 વર્ષીય પરણીતાએ સાસર પક્ષમા ગમતુ ન હોવાથી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી
  • રાણાવાવના આદિત્યાણામા 22 વર્ષીય પરીણીતાએ સાસરીયા પક્ષ દ્વારા અવાર-નવાર દહેજની માંગણી કરતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
  • કુતિયાણાના બાવડાવદર ગામે આર્થિક સંકડામણના કારણે 60 વર્ષીય પ્રૌઢે ગાળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
  • કુતિયાણાના ગોકરણ ગામે 23 વર્ષીય પરણીતાએ અગમ્ય કારણોસર શરીર પર કેરોસીન છાંટી સળગી જતા મોત નિપજ્યુ 

Exclusive News : જાણો ઈશરત જહા એન્કાઉન્ટરમાં કયા અધિકારીએ કેટલા રાઉન્ડ ફાયર કર્યું હતું?

આત્મહત્યા કરનારાઓમાં મહિલાઓ વધુ
એક જ દિવસમાં આત્મહત્યા કરનારાઓ પર નજર કરીએ તો, સૌથી વધુ મહિલાઓ છે. આત્મહત્યા કરનાર 6માંથી 5 તો મહિલાઓ જ છે. તો સામે એક પ્રૌઢે આત્મહત્યા કરી છે.

મોટાભાગની મહિલાઓ સાસરીયાઓના ત્રાસથી પીડિત
જે પાંચ મહિલાઓએ આત્મહત્યા કરી છે, તેમાંથી ચાર પરણીતાઓ છે. આ ચારેય પરણીતાઓએ સાસરિયાઓના ત્રાસથી કે સાસરિયાના કારણથી આત્મહત્યા કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news