ગુજરાતના આ શહેરમાંથી અગ્નિવીર માટે આખી પલટૂનની થઈ પસંદગી, યુવાનોમાં હરખની હેલી

સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમા સડક સે સરહદ તક નામનું ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપનો ઉદ્દેશ ભારતી સેનામા સેવા આપી દેશની રક્ષા કરવાનો છે, જીવના જોખમે જાહેર રસ્તા પર દોડી જાત મહેનત કરતા હોય છે.

ગુજરાતના આ શહેરમાંથી અગ્નિવીર માટે આખી પલટૂનની થઈ પસંદગી, યુવાનોમાં હરખની હેલી

પ્રશાંત ઢીવરે/સુરત: ડિંડોલીના સડક સે સરહદ તક ગ્રુપના 14 યુવાનોની સેનામા અગ્નિવીરમાં પસંદગી થઈ છે. આવા યુવાનોને સલામ છે કે જેઓ દેશની સેવા અને આતંકવાદને દૂર કરવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્દઢ બનાવી રહ્યા છે.

સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમા સડક સે સરહદ તક નામનું ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપનો ઉદ્દેશ ભારતી સેનામા સેવા આપી દેશની રક્ષા કરવાનો છે, જીવના જોખમે જાહેર રસ્તા પર દોડી જાત મહેનત કરતા હોય છે. આખો દિવસ લાઈબ્રેરીમાં અભ્યાસ કરી પોતાના સપના સાકાર કરવા મહેનત કરતા હોય છે. 

પ્રાઇવેટ જોબ સાથે પોતાના સપના પુરા કરવા ખુબ જ મુશ્કેલી પડતી હોય છે, પણ પરીવારનો અને મિત્રોનો સાથ સહકાર ઍમનો જુસ્સો વધારે મજબુત થતો ગયો અને આખરે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરી આજે એમની પસંદગી ભારતી સેનામાં જે નવી અગ્નિવીર યોજના આવી છે. તેમા 14 જેટલા યુવાનોની પસંદગી થયા છે.

પોતાના સપના સાકાર કરવા ડિંડોલી સિવાય અન્ય વિસ્તાર માથી આ ગ્રુપમા તૈયારી કરવા આવતા હોય છે. ગરીબ અને મધ્યમવર્ગના યુવાનોની મહેનત રંગ લાવી આજે ગ્રુપ માટે અને ડિંડોલી વિસ્તાર માટે ખૂબજ ગર્વની વાત કહેવાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news