Sushant Case: રિયા ચક્રવર્તીને CBIએ પૂછપરછ માટે બોલાવી

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput death case) ના મોત કેસની સીબીઆઈ (CBI) ની ટીમ સતત તપાસ કરી રહી છે અને આ કેસમાં ટીમ અત્યાર સુધીમાં અનેક લોકોની પૂછપરછ કરી ચૂકી છે. આ બધા વચ્ચે એવા ખબર આવી રહ્યાં છે કે રિયા ચક્રવર્તીને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવી છે. એવા પણ ખબર છે કે રિયા ઉપરાંત તેના ભાઈ શોવિક ચક્રવર્તીને પણ DRDO ગેસ્ટ હાઉસમાં સીબીઆઈ પૂછપરછ માટે બોલાવી શકે છે. 

Sushant Case: રિયા ચક્રવર્તીને CBIએ પૂછપરછ માટે બોલાવી

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput death case) ના મોત કેસની સીબીઆઈ (CBI) ની ટીમ સતત તપાસ કરી રહી છે અને આ કેસમાં ટીમ અત્યાર સુધીમાં અનેક લોકોની પૂછપરછ કરી ચૂકી છે. આ બધા વચ્ચે એવા ખબર આવી રહ્યાં છે કે રિયા ચક્રવર્તીને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવી છે. એવા પણ ખબર છે કે રિયા ઉપરાંત તેના ભાઈ શોવિક ચક્રવર્તીને પણ DRDO ગેસ્ટ હાઉસમાં સીબીઆઈ પૂછપરછ માટે બોલાવી શકે છે. 

આ લોકોની આજે થઈ શકે છે પૂછપરછ
શોવિક ઉપરાંત સિદ્ધાર્થ પિઠાની, કેશવ અને નીરજને પણ આજે ક્રોસ ક્વેશ્ચનિંગ માટે બોલાવવામાં આવી શકે છે. ગત એક વર્ષમાં થયેલા ખર્ચા, કંપનીમાં ભાગીદારી, સુશાંત સિંહના અકાઉન્ટમાંથી કાઢવામાં આવેલા પૈસાની પૂછપરછ માટે શોવિક સામે જ CA સંદીપ શ્રીધર અને જાન્યુઆરી 2020 સુધી અકાઉન્ટન્ટ રહેલા રજત મેવાતીને પણ બોલાવવામાં આવી શકે છે. 

બીજી બાજુ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પણ એક્શનમાં આવી ચૂકી છે. NCBએ પોતાની તપાસ શરૂ કરતા કેટલાક ઈન્ફોર્મર અને સંદિગ્ધો સાથે વાતચીત કરી રહી છે. આ સંદિગ્ધો સાથે ટીમ બંધ બારણે પૂછપરછ કરી રહી છે. હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તપાસ એજન્સીને ડ્રગ્સ નેટવર્કને લઈને મહત્વની જાણકારી મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news