Salman Khan બધુ છોડીને જૈન મુનિને મળવા પહોંચ્યો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Jain Acharya Vijay Hansratnasur ને મળવા અભિનેતા સલમાન ખાન પહોંચ્યો હતો. સલમાનની આ મીટિંગની તસવીરો વાયરલ થઈ રહી છે. જાણો કેમ સલમાન ખાન આચાર્ય જીને મળવા પહોંચ્યો હતો. 

Salman Khan બધુ છોડીને જૈન મુનિને મળવા પહોંચ્યો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મુંબઈઃ Salman meets Jain monk: બોલીવુડના ભાઈજાન, એક્ટર સલમાન ખાન (Salman Khan) ની ફેન ફોલોઇંગ વિશે બધા જાણે છે. દુનિયાભરમાં સલમાનના ફેન્સ છે અને દરેક તેને મળવાનું સપનું જુએ છે. હજારો લોકો સલમાન ખાનના ઘરની બહાર ઉભા રહે છે. નોંધનીય છે કે જે એક્ટરને મળવા હજારો લોકો આતુર હોય છે તે બધુ છોડીને કોઈને મળવા પહોંચ્યો. હાલમાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં સલમાન એક જૈન મુનિને મળવા પહોંચ્યો છે. આ મુલાકાતની પાછળનું કારણ ખુબ રસપ્રદ છે. આવો જાણીએ સલમાન ખાન દિગ્ગજ જૈન મુનિ આચાર્ય વિજય હંસરત્નસુર (Acharya Vijay Hansratnasur) ને મળવા કેમ પહોંચ્યો હતો. 

Salman Khan બધુ છોડીને જૈન મુનિને મળવા પહોંચ્યો
જેમ અમે તમને જણાવ્યું કે સલમાન ખાનની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે નમી જૈન મુનિ આચાર્ય વિજય હંસરત્નસુપને મળી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે સલમાન ખાને કાળું ટી-શર્ટ પહેર્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

salman khan

કહેવામાં આવી રહ્યું છે કે આચાર્ય વિજય હંસરત્નસુરે રવિવારે પોતાના 180 દિવસના ઉપવાસને પૂર્ણ કર્યા છે, ત્યારબાદ સલમાન ખાન તેમને મળવા પહોંચ્યો હતો. આચાર્ય આવા 180 દિવસના ઉપવાસ આ પહેલા પાંચ વખત કરી ચુક્યા છે. આ વાતથી પ્રભાવિત થઈને સલમાન ખાન આચાર્ય વિજય હંસરત્નસુરને મળવા પહોંચ્યો હતો. તેમને મળીને જૈન ધર્મના તમામ પાસાઓ અને રીતિ-રિવાજો વિશે જાણ્યું અને આચાર્ય જીએ કહ્યુ કે તેમની પાસે પહેલા પણ ઘણી મોટી હસ્તિઓ આશીર્વાદ લઈ ચુકી છે. 

સલમાન ખાન જલદી બિગ બોસની 16મી સીઝનને હોસ્ટ કરશે. સાથે સલમાને ટાઇગર 3નું શૂટિંગ પૂરુ કરી લીધું છે અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મ પર કામ કરી રહ્યો છે, જેમાં તેની સાથે પૂજા હેગડે અને શહનાઝ ગિલ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news