નાના પાટેકરના વકીલે કહ્યું, 'માફી માંગે તનુશ્રી, આજ સાંજ સુધી મળી જશે કાનૂની નોટિસ'

નાના પાટેકરના વકીર રાજેન્દ્ર શિરોડકરે કહ્યું છે કે તનુશ્રી ખોટું બોલી રહી છે

નાના પાટેકરના વકીલે કહ્યું, 'માફી માંગે તનુશ્રી, આજ સાંજ સુધી મળી જશે કાનૂની નોટિસ'

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર નાના પાટેકરે આખરે તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. પૂર્વ મિસ ઈન્ડિયા તનુશ્રીએ નાના પર 2009માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ નાના પાટેકરનો બચાવ કરતા તનુશ્રીએ તેને પણ વિવાદમાં લપેટી લીધો અને આરોપ લગાવ્યો કે, ગણેશ બે ચહેરાવાળો એટલે કે બનાવટી માણસ છે. હવે નાના પાટેકરના વકીલે નિવેદન આપતા જણાવ્યું છે કે તનુશ્રીએ ખોટા આરોપ લગાવ્યા છે અને તે ખોટું બોલી રહી છે. અમારા તરફથી આજ સાંજ સુધી તનુશ્રીને નોટિસ મળી જશે અને આ નોટિસ મારફત અમે ખોટી નિવેદન આપવા બદલ માફી માગવાનું કહી રહ્યા છીએ. 

તનુશ્રીએ હાલમાં પોતાના એક ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી દીધી છે કે બધા તનુશ્રીની ચર્ચા કરી રહ્યા છે. ટીવી ચેનલ ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં તનુશ્રીએ જણાવ્યું કે નાના પાટેકરે એક ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન તેને ખોટી રીતે સ્પર્શવાની કોશિશ કરી હતી. તનુશ્રીએ આરોપ લગાવ્યો કે ઈન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો જાણે છે કે નાનાનો મહિલાઓ પ્રત્યે વ્યવહાર કેવો છે અને તે કેટલી ખરાબ રીતે મહિલાઓ સાથે વર્તન કરે છે. 2018ની એક ઘટના યાદ કરતા તનુશ્રીએ કહ્યું કે તેણે કોન્ટ્રેક્ટ અનુસાર હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મમાં સોલો ડાન્સ કરવાનો હતો. પરંતુ શૂટના પ્રથમ જ દિવસથી નાનાએ તેની સાથે ગેવર્તન શરૂ કરી દીધું હતું. નાનાના આવા વર્તન અંગે તનુશ્રીએ જ્યારે પ્રોડ્યુસર-ડિરેક્ટરને વાત કરી ત્યારે તેમણે તનુશ્રીને નાનાની વાત માનવાની સલાહ આપી.

તનુશ્રીએ કહ્યું છે કે હિરોઇનના રોલનું કાસ્ટિંગ તો હીરો જ કરતો હોય છે. કાસ્ટિંગ ડિરેક્ટર બાકીના સાઇડના પાત્રોનું કાસ્ટિંગ કરે છે. જે લીડ એક્ટ્રેસ હોય છે એનું કાસ્ટિંગ તો હીરો જ કરે છે. તનુશ્રીએ આરોપ મૂકતા કહ્યું છે કે જો અક્ષયકુમાર અને રજનીકાંત જેવા એક્ટર પણ નાના પાટેકર  પર આરોપ હોવા છતાં તેની સાથે કામ કરતા હોય તો બદલાવની આશા કઈ રીતે રાખી શકાય ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news