Kajol Birthday: અજય દેવગન પાસેથી લવ એડવાઈઝ લેતી હતી કાજોલ, અભિનેત્રીના લગ્નની વિરુદ્ધ હતા કાજોલના પિતા

Kajol Birthday: કાજોલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તે પોતાના કરિયરની શરૂઆતમાં કોઈ વ્યક્તિને ડેટ કરી રહી હતી. તે સમયે લવ ટિપ્સ લેવા માટે તે અજય દેવગન સાથે વાત કરતી હતી. એટલે કે કાજોલ બીજા કોઈ વ્યક્તિને ડેટ કરતી હતી. અજય દેવગન કાજોલને લવ ટિપ્સ આપતો હતો.

Kajol Birthday: અજય દેવગન પાસેથી લવ એડવાઈઝ લેતી હતી કાજોલ, અભિનેત્રીના લગ્નની વિરુદ્ધ હતા કાજોલના પિતા

Kajol Birthday: કાજોલ 5 ઓગસ્ટે તેનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. 5 ઓગસ્ટ 1974 ના રોજ જન્મેલી કાજોલ છેલ્લા 30 વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે એક સફળ અભિનેત્રી છે. આજે તેના બર્થ ડે પર કાજોલ અને અજય દેવગન સંબંધી એક રસપ્રદ વાત જણાવીએ. કાજોલ અને અજય દેવગનની લવ સ્ટોરી જગજાહેર છે. પરંતુ કાજોલ અને અજય દેવગન એકબીજાના પ્રેમમાં કેવી રીતે પડ્યા તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 

કાજોલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તે પોતાના કરિયરની શરૂઆતમાં કોઈ વ્યક્તિને ડેટ કરી રહી હતી. તે સમયે લવ ટિપ્સ લેવા માટે તે અજય દેવગન સાથે વાત કરતી હતી. એટલે કે કાજોલ બીજા કોઈ વ્યક્તિને ડેટ કરતી હતી. અજય દેવગન કાજોલને લવ ટિપ્સ આપતો હતો. પરંતુ થોડા સમયમાં કાજોલનું બ્રેકઅપ થઈ ગયું. ત્યાર પછી તે વ્યક્તિ સાથે અજય દેવગનને કાજોલનું પેચ અપ કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અજય દેવગનનું દિલ કાજોલ પર ફિદા થઈ ગયું. ત્યાર પછી કાજોલ અને અજય દેવગન એકબીજાને ડેટ કરવા લાગ્યા. 

કાજોલ અને અજય દેવગનની પહેલી મુલાકાત હલચલ ફિલ્મને શૂટિંગ દરમિયાન થઈ હતી. કાજોલ અને અજય ફિલ્મની શૂટિંગ વખતે મિત્ર બની ગયા. અજય દેવગન સાથેની પહેલી મુલાકાત વિશે કાજોલે એક મુલાકાતમાં એવું કહ્યું હતું કે જ્યારે તે અજય દેવગનને પહેલી વખત મળી હતી તો સેટ પર એકલા બેસવું જ ગમતું. ત્યાર પછી કાજોલ અને અજય દેવગન વાતચીત કરવા લાગ્યા અને મિત્રો બની ગયા. અજય દેવગન કાજોલનો એટલો ખાસ મિત્ર હતો કે કાજોલ તેની પાસેથી લવ ટિપ્સ લેતી. જોકે આ દરમ્યાન કાજોલ અને અજય એકબીજાના પ્રેમમાં પડી ગયા અને તેમણે 1999 માં લગ્ન કરી લીધા. 

કાજોલ અને અજય દેવગનના લગ્નમાં પણ એક ટ્વિસ્ટ હતો. કાજોલ લગ્ન કરે તે વાત તેના પિતા શોમૂ મુખર્જીને પસંદ ન હતી. કાજોલે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર 24 વર્ષની હતી. તેથી તેમની ઈચ્છા હતી કે કાજોલ તેના કરિયર પર ફોકસ કરે. પરંતુ કાજોલને અજય સાથે લગ્ન કરવા હતા. પછી તનુજા અને અજયના માતા-પિતા માની ગયા હતા તો તે પણ માની ગયા અને કાજોલ-અજયે લગ્ન કરી લીધા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news