શાહરૂખ સાથે એક ફિલ્મ કરી છોડી દીધું બોલિવૂડ, આજે 2800 કરોડની કંપનીની માલિક છે આ હિરોઈન

Why Shahrukh Khan This Actress left Bollywood: શાહરૂખ ખાન સાથે અભિનયની શરૂઆત કરતા પહેલાં, ગાયત્રી જોશી ગોદરેજ, એલજી, પોન્ડ્સ, બોમ્બે ડાઈંગ, સનસિલ્ક અને ફિલિપ્સ જેવી બ્રાન્ડ્સની જાહેરાતોમાં જોવા મળી હતી.

શાહરૂખ સાથે એક ફિલ્મ કરી છોડી દીધું બોલિવૂડ, આજે 2800 કરોડની કંપનીની માલિક છે આ હિરોઈન

Why Shahrukh Khan This Actress left Bollywood: ગાયત્રી જોશી એક સમયે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તેજસ્વી અભિનેત્રી હતી પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીને વધારે સમય આપ્યો નથી. માત્ર એક ફિલ્મમાં તેની એક્ટિંગે બધાના દિલ જીતી લીધા હતા. હા, અભિનેત્રીએ માત્ર એક જ ફિલ્મ પછી અભિનયને અલવિદા કહી દીધું હતું, તેણીનું બોલિવૂડ ડેબ્યુ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું કારણ કે તેણીને બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે કારકિર્દી શરૂ કરવાની તક મળી હતી. તો પછી શું કારણ હોઈ શકે કે તેણે માત્ર એક ફિલ્મ પછી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું અને હવે તે લક્ઝરી લાઈફ જીવે છે.

ગાયત્રી જોશીનો જન્મ 1977 માં નાગપુરમાં થયો હતો અને તેણીએ તેના કોલેજકાળ દરમિયાન મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. શાહરૂખ ખાન સાથે અભિનયની શરૂઆત કરતા પહેલાં, ગાયત્રી જોશી ગોદરેજ, એલજી, પોન્ડ્સ, બોમ્બે ડાઈંગ, સનસિલ્ક અને ફિલિપ્સ જેવી બ્રાન્ડ્સની જાહેરાતોમાં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે ગાયત્રી જોશી 1999 ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધાના પાંચ ફાઇનલિસ્ટમાંથી એક હતી અને મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2000નો તાજ જીતી હતી. જાપાનમાં મિસ ઈન્ટરનેશનલ 2000 બ્યુટી પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ગાયત્રી જોશીએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2004માં ફિલ્મ સ્વદેશથી કરી હતી, જેની ગણતરી શાહરૂખ ખાનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. પરંતુ આ એક ફિલ્મ તેની કારકિર્દીની પ્રથમ અને છેલ્લી ફિલ્મ હતી. આ પછી તે ફરી ક્યારેય સ્ક્રીન પર જોવા મળી નથી.

નિર્દેશક આશુતોષ ગાવરીકરે 2004માં આ ફિલ્મથી શાહરૂખ ખાન સાથે અભિનેત્રી ગાયત્રી જોશીનું બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી અને આજે પણ તેની ગણતરી કલ્ટ-ક્લાસિક ફિલ્મોમાં થાય છે. ફિલ્મમાં ગાયત્રીની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી અને આજે પણ લોકો તેને વારંવાર જુએ છે. સ્વદેશ સ્ટાર ગાયત્રી જોશીએ તે સમય દરમિયાન બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે તેણે માત્ર એક જ ફિલ્મ કર્યા પછી અભિનય છોડી દેવાનું નક્કી કર્યું હતું, કારણ કે તે સમયે તેના જીવનમાં પ્રેમનો પ્રવેશ થઈ ગયો હતો. હા, અભિનેત્રીએ અન્ય કોઈ મજબૂરીને કારણે નહીં પરંતુ પોતાના પ્રેમ ખાતર ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું.

ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહીને ગાયત્રી જોશીએ 2005માં વિકાસ ઓબેરોય નામના ધનિક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા, જેઓ અબજોપતિ અને પ્રોપર્ટી બિઝનેસમેન છે. તે મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપની ઓબેરોય રિયલ્ટી ચલાવે છે અને તેમની માર્કેટ કેપ રૂ. 2800 કરોડથી વધુ છે. આ જ કારણ છે કે ગાયત્રી પોતે જ તેના પતિની સંપત્તિની માલિક છે અને તેના બિઝનેસમાં તેમની મદદ પણ કરે છે. ગાયત્રી હવે બે બાળકોની માતા છે અને ગ્લેમરની દુનિયાથી સંપૂર્ણપણે દૂર છે અને પોતાના પુત્રોના ઉછેરમાં વ્યસ્ત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news