Ranbir Alia Wedding: આલિયા સાથે લગ્ન પછી તરત જ રણબીર લેશે આ મોટો નિર્ણય, જાણો આગામી પ્લાન

 રણબીર કપૂર ખાસ કરીને સોશિયલ મીડિયાથી અંતર રાખે છે. હાલના સમયમાં ઈન્સ્ટાગ્રામ એ સ્ટાર્સની પહેલી પસંદ છે, પરંતુ રણબીર કપૂર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી રણબીર કપૂર એવો નિર્ણય લઈ શકે છે, જે જાણીને ચાહકો સ્તબ્ધ થઈ જશે.

Ranbir Alia Wedding: આલિયા સાથે લગ્ન પછી તરત જ રણબીર લેશે આ મોટો નિર્ણય, જાણો આગામી પ્લાન

નવી દિલ્લીઃ રણબીર કપૂર ખાસ કરીને સોશિયલ મીડિયાથી અંતર રાખે છે. હાલના સમયમાં ઈન્સ્ટાગ્રામ એ સ્ટાર્સની પહેલી પસંદ છે, પરંતુ રણબીર કપૂર કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નથી. આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી રણબીર કપૂર એવો નિર્ણય લઈ શકે છે, જે જાણીને ચાહકો સ્તબ્ધ થઈ જશે.

સોશિયલ મીડિયા પર ડેબ્યૂ-
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ રણબીર કપૂર લગ્ન બાદ જલ્દી જ સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરી શકે છે. એવો પણ દાવો કરાયો છે કે અન્ય કોઈએ નહીં પરંતુ આલિયા ભટ્ટે રણબીરને મનાવી લીધો છે.

આલિયાએ કહી આ વાત-
આલિયા ભટ્ટે રણબીર કપૂરને સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરવા કહ્યું હતું. લગ્ન પછી  વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવા કહ્યું મહેંદી ફંક્શન દરમિયાન કરણ જોહર અને આલિયા ભટ્ટ  લગ્નના ફોટો અને વીડિયો પર વાત કરતા જોવા મળ્યા હતા. જેમાં બંને વાત કરી રહ્યા હતા કે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે એક ખાસ વીડિયો મેસેજ શેર કરે.

રણબીર કપૂર અને આલિયાના લગ્નની તારીખ ગુપ્ત રાખવામાં આવી હતી.  અચાનક 13 એપ્રિલે નીતુ કપૂરે મહેંદી સેરેમની બાદ પૈપરાજીની સામે લગ્નની તારીખ જાહેર કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરની બહાર ઉભેલા મીડિયાને જોયા પછી રણબીર કપૂરે જ તેની માતા અને બહેન સાથે લગ્નની તારીખ શેર કરવાનું સૂચન કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news