Film Controversy: અન્નપૂર્ણી ફિલ્મનો વિવાદ વકર્યો, નેટફ્લિક્સે ફિલ્મ કરવી પડી ડિલીટ, શ્રીરામને લઈ કરાઈ હતી ટીપ્પણી

Film Controversy: આ ફિલ્મમાં નયનતારાના પિતા એક મંદિરમાં પુજારી છે અને ભગવાન માટે પ્રસાદ બનાવે છે. જ્યારે નયનતારા ફિલ્મમાં માંસાહાર કરતી જોવા મળે છે, સાથે જ ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે.

Film Controversy: અન્નપૂર્ણી ફિલ્મનો વિવાદ વકર્યો, નેટફ્લિક્સે ફિલ્મ કરવી પડી ડિલીટ, શ્રીરામને લઈ કરાઈ હતી ટીપ્પણી

Film Controversy: નયનતારાની ફિલ્મ અન્નપૂર્ણી તેના માટે મોટી સમસ્યા બની રહી છે. ફિલ્મને લઈને શરૂ થયેલા વિવાદ પછી નેટફ્લિક્સ દ્વારા આ ફિલ્મ ડિલીટ કરી દેવામાં આવી છે. તેમ છતાં આ ફિલ્મને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઈને મુંબઈના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને આપત્તિ જનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી અન્નપૂર્ણી ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વચ્ચે નેટફ્લિક્સ દ્વારા ફિલ્મને તેના પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે તેમ છતાં આ મામલો વકરી રહ્યો છે. હવે મુંબઈમાં અન્નપૂર્ણી ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અન્નપૂર્ણી ફિલ્મમાં ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન તેમના દ્વારા કરેલા શિકારને લઈને અને નોનવેજ ખાવાને લઈને જે વાત કહેવામાં આવી છે તે આપત્તિજનક છે. આ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં કુલ પાંચ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. 

મહત્વનું છે કે નેટફ્લિક્સ પર થોડા દિવસો પહેલા જ નયનતારાની ફિલ્મ અન્નપૂર્ણી રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝના થોડા જ દિવસોમાં ફિલ્મમાં શ્રીરામને લઈને કહેવામાં આવેલી આપત્તિજનક વાતને લઈને વિવાદ શરૂ થઈ ગયો. અંતે નેટફ્લિક્સ દ્વારા આ ફિલ્મને ડિલીટ કરી દેવામાં આવી છે. 

મહત્વનું છે કે આ ફિલ્મ પહેલા નયનતારા શાહરુખ ખાન સાથે ફિલ્મ જવાનમાં જોવા મળી હતી આ ફિલ્મમાં નયનતારાના ખૂબ જ વખાણ થયા હતા, ત્યાર પછી અન્નપૂર્ણી ફિલ્મ રિલીઝ થઈ. જોકે આ ફિલ્મ નયનતારા માટે મોટી મુસીબત બની ચૂકી છે કારણ કે સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને નયનતારાને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મમાં નયનતારાના પિતા એક મંદિરમાં પુજારી છે અને ભગવાન માટે પ્રસાદ બનાવે છે. જ્યારે નયનતારા ફિલ્મમાં માંસાહાર કરતી જોવા મળે છે અને તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. સાથે જ ફિલ્મમાં ભગવાન શ્રીરામને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે. આ બધી જ બાબતોને લઈને ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news