સુશાંત મામલે FIR નોંધાયા બાદ બહેન શ્વેતા સિંહ કીર્તિનું સામે આવ્યું પ્રથમ રિએક્શન

બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની સામે સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતાએ પટનામાં એફઆઇઆર નોંધાવી છે. એફઆઇઆર નોંધાયા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિનું પ્રથમ રિએક્શન પણ સામે આવ્યું છે. સુંશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેના ભાઇને ન્યાય અપાવવાની માંગ કરી છે.
સુશાંત મામલે FIR નોંધાયા બાદ બહેન શ્વેતા સિંહ કીર્તિનું સામે આવ્યું પ્રથમ રિએક્શન

મુંબઇ: બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની સામે સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતાએ પટનામાં એફઆઇઆર નોંધાવી છે. એફઆઇઆર નોંધાયા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિનું પ્રથમ રિએક્શન પણ સામે આવ્યું છે. સુંશાંત સિંહ રાજપૂતની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેના ભાઇને ન્યાય અપાવવાની માંગ કરી છે.

તેમણે લખ્યું, 'જો સત્યથી કોઈ ફરક પડતો નથી, તો કંઈપણ ક્યારેય ફરક પડશે નહીં.' આ સાથે તેમણે હેશટેગની સાથે જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત લખ્યું હતું. આ અગાઉ શ્વેતા સિંહ કીર્તિએ એક યૂઝર્સના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તે મુંબઈ પોલીસના રિપોર્ટ બાદ સીબીઆઈ તપાસની માંગ કરી શકે છે.

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

તમને જણાવી દઇએ કે, મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇટ મામલે માત્ર Accidental Death Report (ADR) જે એફઆઇઆર નથી. જ્યારે બિહાર પોલીસે આ મામલે પહેલી વખત એફઆઇઆર નોંધી છે. હવે સીબીઆઇ (CBI)ની પાસે આ કેસ જવાથી માર્ગ ખુલ્યો છે. કેમ કે, વગર એફઆઇઆર નોંધાયા આ કેસ સીબીઆઇ પાસે જઇ શકે નહીં. તમને જણાવી દઇએ કે, પટનામાં એફઆઇઆર નોંધાયા બાદ હવે આ કેસમાં તપાસ કરવા માટે બિહાર પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news