Stock Market Today: માર્કેટ તૂટ્યુ! રોકાણકારો રોયા; Sensex 900 પોઈન્ટથી વધુ ડાઉન

Stock Market Today: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઘટીને 79,155.00 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે 24,129.40 પર છે. ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેન્કની ખોટને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.

Stock Market Today: માર્કેટ તૂટ્યુ! રોકાણકારો રોયા; Sensex 900 પોઈન્ટથી વધુ ડાઉન

Stock Market Today: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઘટીને 79,155.00 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે 24,129.40 પર છે. ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેન્કની ખોટને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. ભારતીય શેરબજારમાં શુક્રવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 766.69 પોઈન્ટ્સ અથવા 0.96 ટકા ઘટીને 79,298.47 પર પહોંચ્યો હતો. NSEનો નિફ્ટી પણ 270 પોઈન્ટ અથવા 1.11 ટકાના ઘટાડા સાથે 24,129.40 પર ટ્રેડ કરી રહ્યો છે.

Latest Updates About Stock Market Today:
Nifty 50    -305 (1.25%)    24,100.00
Bank Nifty    -1,097 (2.015%)    50,436.00
Ninnifty    -281.00 (1.19%) 23,572.00
Sensex        -925.00 (1.15%)    79,155.00

નિફ્ટી બેન્ક અને મિડકેપમાં ઘટાડો-
નિફ્ટી બેંકની કામગીરી પણ નબળી રહી હતી. તે લગભગ 1000 પોઈન્ટ્સ એટલે કે 2.00 ટકાથી વધુ ઘટીને 50,450ની નજીક પહોંચી ગયો. નિફ્ટી 50 1.21 ટકાથી વધુ ઘટીને 24,100 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ પણ તીવ્ર ઘટાડો થયો હતો, જે 1,024.95 પોઇન્ટ (1.82%) ઘટીને 55,324.80 પર બંધ થયો હતો. સ્મોલકેપ 100 ઈન્ડેક્સ પણ 382.50 પોઈન્ટ (2.10%) ઘટીને 17,866.65 થઈ ગયો.

નકારાત્મક બજાર વલણો-
બજારનો ટ્રેન્ડ નેગેટિવ રહે છે. NSE પર લગભગ 302 શેર લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 2,187 શેર લાલ નિશાન પર છે. આ ઘટાડાનું મુખ્ય કારણ વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને ઓટો, આઈટી, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં ભારે વેચવાલી છે.

ઇન્ડસઇન્ડ બેંકનું મોટું નુકસાન-
આ ઘટાડાનો સૌથી મોટો ફટકો ઇન્ડસઇન્ડ બેન્કને પડ્યો છે. તેના શેરમાં 18.54 ટકાનો ઘટાડો થયો, જેના કારણે તે રૂ. 1,042.70 પર પહોંચી ગયો. બેંકે તાજેતરમાં ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે, જેમાં ચોખ્ખા નફામાં 39 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

રોકાણકારોની ચિંતા-
વિશ્લેષકો કહે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ભારે વેચવાલીથી બજારમાં વધુ અસ્થિરતા આવી છે. આ મહિનાની 24મી તારીખ સુધી FIIએ રૂ. 98,085 કરોડ સુધીનું વેચાણ કર્યું છે. આ સ્પષ્ટ કરે છે કે ડિપ્સ પર ખરીદીની વ્યૂહરચના કામ કરી રહી નથી, અને રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ.

નોંધનીય છે કે આ ઘટાડાથી રોકાણકારોના મનમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. બધાની નજર હવે આગામી દિવસોના બજારના વલણો પર છે, એવી આશા છે કે પરિસ્થિતિ જલ્દી સુધરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news