Rules Change : દેશમાં 1લી માર્ચથી થશે મોટા ફેરફારો, ગેસના વધશે ભાવ, ફાસ્ટટેગ-GST માં આવશે નવા નિયમ

Rule Change From 1st March 2024: નવા મહિનાની શરૂઆતની સાથે જ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યાં છે. 1 માર્ચથી રૂપિયા અને તમારા બજેટ સાથે જોડાયેલા અનેક નવા નિયમો આવી રહ્યાં છે. જેનાથી તમારા ખિસ્સા પર અસર પડશે
 

Rules Change : દેશમાં 1લી માર્ચથી થશે મોટા ફેરફારો, ગેસના વધશે ભાવ, ફાસ્ટટેગ-GST માં આવશે નવા નિયમ

Rule Change From 1st March 2024: આવતીકાલથી માર્ચ મહિનો શરૂ થશે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. આવતીકાલે પણ દેશમાં ઘણા ફેરફારો થવાના છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આ મહિને થઈ રહેલા 4 બદલાવ તમારા ખિસ્સાને અસર કરશે. 

તમને ખબર જ છે કે દર મહિને નિયમોમાં બદલાવ થાય છે. આ મહિને પણ 4 નિયમોમાં બદલાવ થઈ રહ્યો છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આવી સ્થિતિમાં, આ ફેરફારો વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ફેરફારોથી વાકેફ રહેવાથી, તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. માર્ચમાં બેંક લોન અને એલપીજી સિલિન્ડરની કિંમતો સહિત ઘણા ફેરફારો થવાના છે. ચાલો તમને આ ફેરફારો વિશે જણાવીએ જે માર્ચમાં થવા જઈ રહ્યા છે.

એલપીજી અને સીએનજીના ભાવ
એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. જોકે, ગયા મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ દેશમાં જે રીતે મોંઘવારી વધી રહી છે. આવી સ્થિતિમાં માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમતો વધી શકે છે. જો આમ થશે તો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધશે. જોકે, ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમત યથાવત રાખવામાં આવી હતી.

ફાસ્ટેગનું કેવાયસી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ફાસ્ટેગના KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે. જો આ તારીખ સુધીમાં ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ નહી થાય, તો તે નિષ્ક્રિય થઈ જશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, 29 ફેબ્રુઆરી સુધીમાં તમારું ફાસ્ટેગ કેવાયસી કરાવો.

ક્રેડિટ કાર્ડ નિયમો
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. SBI 15 માર્ચથી તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આ જાણકારી ગ્રાહકોને ઈ-મેલ દ્વારા આપી રહી છે.

જીએસટીના નવા નિયમો
કેન્દ્ર સરકાર GST નિયમોમાં મોટો ફેરફાર કરી રહી છે (GST Rules Changing from 1 March 2024). હવે 5 કરોડથી વધુનો બિઝનેસ કરનારા બિઝનેસમેન ઈ-ઈનવોઈસ વિના ઈ-વે બિલ જનરેટ કરી શકશે નહીં. આ નિયમ 1લી માર્ચથી લાગુ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news