ગુજરાતના ખેડૂતોને મોબાઈલ લેવા માટે સરકાર આપશે પૈસા! લોકોને તો મોજ પડી ગઈ

Agriculture News: શું તમે પણ એક ખેડૂત છો? ખેડૂત હોવ તો તમને મળશે શકે છે મોબાઈલ, સરકાર સામેથી આપી રહી છે આર્થિક સહાય. જાણો શું છે આખો પ્રોજેક્ટ....સરકારની આ યોજના તમારા માટે ઘણી ફાયદાકારક રહેશે.

ગુજરાતના ખેડૂતોને મોબાઈલ લેવા માટે સરકાર આપશે પૈસા! લોકોને તો મોજ પડી ગઈ

Government Scheme For Farmers: ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને તેનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે. વાત એ છેકે, ઘણી યોજનાઓ એવી પણ હોય છે જેના વિશે ખેડૂતો પાસે પુરતી જાણકારી જ નથી હોતી. તમારી પાસે પણ જો સરકારી યોજના અંગે જાણકારીનો અભાવ હોય તો ચિંતા ના કરશો, અમે તમને આપીશું સચોટ માહિતી.

શું છે સ્માર્ટ ફોન સહાય યોજનાઃ
અહીં વાત થઈ રહી છે સરકારની ફોન સહાય યોજનાની. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેડૂતો માટે સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે ખેડૂતો, સ્માર્ટ ફોન ખરીદવા માટે સહાય યોજનાનો લાભ મેળવી શકે છે. શું તમે પણ ગુજરાતના ખેડૂત છો? 15000 સુધીનો ફોન ખરીદો અને 6000 સુધીની સહાય મેળવો...અરજદાર ખેડૂત તરફથી i khedut પોર્ટલ પર મળેલ અરજી સંબંધિત ખેતી વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા ચકાસણી કરીને અરજીની યોગ્યતા અયોગ્યતા નક્કી કરશે.

30 દિવસની અંદર સ્માર્ટ ફોન ખરીદવાનો રહેશે

i khedut પોર્ટલ પર અરજીની પાત્રતા બિનપાત્રતા સ્ટેટસ અપડેટ કરશે. પસંદ થયેલ લાભાર્થી ખેડૂતોએ પૂર્વ મંજૂરીના આદેશના તારીખથી 30 દિવસની અંદર સ્માર્ટ ફોન ખરીદવાનો રહેશે. નિયત સમય મર્યાદામાં સ્માર્ટ ફોન ખરીદ્યા બાદ, અરજદાર ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિંટ આઉટ સાથે જરુરી પુરાવાઓ ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી સમક્ષ રજૂ કરવાના રહેશે. આ યોજનાનો લાભ ગુજરાતમાં જમીન ધારણ કરનાર તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ ખેડૂત ખાતેદાર એક કરતા વધુ ખાતા ધરાવતો હોય તો પણ એક જ વાર લાભ મળશે. સંયુક્ત ખાતા ધરાવનારાઓને જમીનની 8-અ માં દર્શાવેલા ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ મળશે.

યોજના અંગે તમારા મનમાં આવતા સવાલોઃ
સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ? આ યોજના માટેની પાત્રતા શું છે? યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે? અરજી કેવી રીતે કરવી? સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી? વગેરે પ્રશ્નો અંગેની વિગતો પણ તમને આ અહેવાલમાં મળી જશે.

અરજી સાથે કયા પુરાવા રજૂ કરવા?

  • આધારકાર્ડની નકલ
  • મોબાઈલનો IMEI નંબર
  • 8-અ ની નકલ
  • જો લાગુ પડતુ હોય તો દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક
  • અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર
  • સ્માર્ટ ફોનની ખરીદી કરી હોવા અંગેનું GST નંબર ધરાવતુ અસરલ બીલ

આ યોજના પાછળ શું છે સરકારનો હેતુ?
ગુજરાતના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની યોજના હેઠળ ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરવાથી સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. રૂપિયા 15000 સુધીના સ્માર્ટ ફોનની ખરીદી પર સરકાર દ્વારા ખરીદ કિંમતના 40 ટકા અથવા રૂપિયા 6000 એ બેમાંથી જે ઓછુ હોય તે ખેડૂતને ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ ખેડૂત, તેના જીવનમાં માત્ર એક જ વાર લઈ શકશે.

કેવી રીતે કરશો અરજી?
આ યોજના અંતર્ગત ખેડૂત દ્વારા i khedut પોર્ટલ પર સ્માર્ટ ફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટઆઉટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news