રાજકીય સુવિધાથી આતંકવાદ પર કાર્યવાહી... એસ જયશંકરે કેનેડાનું નામ લીધા વગર UNથી કર્યો પ્રહાર

એસ જયશંકરે કહ્યું કે દુનિયા અભૂતપૂર્વ તણાવમાંથી પસાર થઈ રહી છે. માત્ર કૂટનીતિ અને સંવાદ જ તણાવ ઘટાડી શકે છે. તેમણે કહ્યું કે વિકાસશીલ દેશો દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. હવે કેટલાક દેશોના એજન્ડાને અનુસરી શકાય નહીં. હવે આપણે અન્ય દેશોની વાત પણ સાંભળવી પડશે. G-20 ઘોષણાપત્રમાં તમામ દેશોના મંતવ્યો સાંભળવામાં આવ્યા હતા.

રાજકીય સુવિધાથી આતંકવાદ પર કાર્યવાહી... એસ જયશંકરે કેનેડાનું નામ લીધા વગર UNથી કર્યો પ્રહાર

ન્યૂયોર્કઃ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે મંગળવારે UNGA માં બોલતા કહ્યું કે ભારત પોતાની જવાબદારીઓને સમજે છે. દુનિયાના ઘણા ક્ષેત્રમાં સંઘર્ષ ચાલી રહ્યો છે અને તણાવનો માહોલ છે. કૂટનીતિ અને વાતચીત દ્વારા આ મુદ્દાને હલ કરી શકાય છે. તેમણે કહ્યું કે, જી-20માં અમે ગ્લોબલ સાઉથના અવાજને ઉઠાવ્યો. એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું કે જી20માં આફ્રિકી સંઘને સામેલ કરવાથી સંયુક્ત રાષ્ટ્રને પણ સુરક્ષા પરિષદને આધુનિક બનાવવા માટે પ્રેરણા મળવી જોઈએ. 

એસ જયશંકરે કહ્યુ કે હજુ પણ કેટલાક દેશ એવા છે જે એજન્ડાને આકાર આપે છે અને માપદંડોને વ્યાખ્યાયિત કરવા ઈચ્છે છે. આ અનિશ્ચિતકાળ સુધી ન ચાલી શકે. તેમણે કહ્યું કે એવા દિવસો ગયા જ્યારે કેટલાક રાષ્ટ્રોએ એજન્ડા નક્કી કર્યા અને અન્ય લોકો તેમના મંતવ્યો સ્વીકારશે તેવી અપેક્ષા રાખી. જ્યારે આપણે અગ્રણી બળ બનવાની ઇચ્છા રાખીએ છીએ, ત્યારે તે આત્મ-વખાણ માટે નથી, પરંતુ વધુ જવાબદારી લેવા અને વધુ યોગદાન આપવા માટે છે.

UNGA માં વિદેશ મંત્રીમાં એસ જયશંકરે કહ્યુ કે ભારત અલગ-અલગ ભાગીદારોની સાથે સહયોગને વધારે છે. બિનજોડાણના યુગમાંથી બહાર આવીને આપણે હવે વિશ્વ મિત્રનો ખ્યાલ વિકસાવ્યો છે. આ વિવિધ દેશો સાથે જોડાવા અને જ્યાં જરૂરી હોય ત્યાં હિતોની સુમેળ સાધવાની અમારી ક્ષમતા અને ઈચ્છા દર્શાવે છે.

ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે દરેક આપદામાં ભારત આગળ વધીને મદદ કરે છે. તેમણે કેનેડાનું નામ લીધા વગર કહ્યું કે રાજકીય સુવિધાથી આતંકવાદ પર કાર્યવાહી યોગ્ય નહીં. તેમણે કહ્યું કે UNSC માં સુધાર થવો જોઈએ. એસ જયશંકરે કહ્યું કે ભારતની પહેલ પર આફ્રિકી સંઘ જી-20નું સ્થાયી સભ્ય બન્યું. જી20માં આફ્રિકી સંઘને સામેલ કરવાથી સંયુક્ત રાષ્ટ્રને પણ સુરક્ષા પરિષદમાં ફેરફાર કરવાની પ્રેરણા મળવી જોઈએ. 

એસ જયશંકરે જણાવ્યું હતું કે 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'નું ભારતનું વિઝન ઘણા દેશોની મુખ્ય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને માત્ર કેટલાક દેશોના સંકુચિત હિતો પર જ નહીં. યુએનજીએમાં વિદેશ મંત્રીએ કહ્યું કે અમે 75 દેશો સાથે વિકાસલક્ષી ભાગીદારી બનાવી છે. અમે આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિઓમાં પ્રથમ પ્રતિસાદ આપનારા પણ બની ગયા છીએ. તુર્કી અને સીરિયાના લોકોએ આ જોયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news