ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉનનાં પિતાને દાદાની મુર્તિઓ તોડાઇ, નવી અટકળો ચાલુ

ઉત્તર કોરિયાના  (North Korea) સરમુખત્યાર કિમ જોંગ ઉન (Kim Jong Un) મુદ્દે એકવાર ફરીથી ક્યાસોનો દોર ચાલુ થઇ ચુક્યો છે. આ વખતે કારણ છે રાજધાની પ્યોંગ યાંગથી તેમના દાદા કિમ 2 સુંગ  (Kim Il Sung) અને પિતા કિમ જોંગ ઇલનાં વિશાળકાય પોર્ટેટ્સને અચાનક હટાવી દેવામાં આવ્યા છે. NK ન્યૂઝનાં અનુસાર પોર્ટેટ્સ કોઇ માહિતી વગર જ હટાવી દેવામાં આવ્યા છે અને તેના કારણ અંગે પણ કોઇ માહિતી નથી.

ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉનનાં પિતાને દાદાની મુર્તિઓ તોડાઇ, નવી અટકળો ચાલુ

પ્યોંગયાંગ : ઉત્તર કોરિયાના  (North Korea) સરમુખત્યાર કિમ જોંગ ઉન (Kim Jong Un) મુદ્દે એકવાર ફરીથી ક્યાસોનો દોર ચાલુ થઇ ચુક્યો છે. આ વખતે કારણ છે રાજધાની પ્યોંગ યાંગથી તેમના દાદા કિમ 2 સુંગ  (Kim Il Sung) અને પિતા કિમ જોંગ ઇલનાં વિશાળકાય પોર્ટેટ્સને અચાનક હટાવી દેવામાં આવ્યા છે. NK ન્યૂઝનાં અનુસાર પોર્ટેટ્સ કોઇ માહિતી વગર જ હટાવી દેવામાં આવ્યા છે અને તેના કારણ અંગે પણ કોઇ માહિતી નથી.

બીજી તરફ ડેલી એક્સપ્રેસે પત્રકાર રોય કૈલી (Roy calley)ના હવાલાથી જણાવ્યું કે, કિમ જોંગ ઇલની એક પ્રતિમા પણ ખંડિત કરી દેવામાં આવી છે. જે મુખ્ય સ્કાયર પર આ પોટ્રેટ લાગેલા હતા, ત્યાં કિમનાં દાદા કિમ II સુગના નામ પર છે અને તેને અંતિમ વખત 2012માં કિમ જોંગ ઇલનાં મૃત્યુ બાદ રિનોવેટ કરવામાં આવ્યો હતો. એવામાં પોટ્રેટ્સને હટાવવા માટે અનેક સવાલો પેદા કરે છે.

કૈલીનું કહેવું છે કે, ઉત્તર કોરયાની પરંપરાઓ અનુસાર જીવીત રહેવા દરમિયાન સરમુખત્યાર કિમ જોંગનું કોઇ પોટ્રેટ કે પ્રતિમા લગાવી શકાય નહી. જેથી પુરાના પોટ્રેટ હટાવવાથી સવાલ પેદા થાય છે કે, શું નવા પોટ્રેટ માટે જગ્યા બનાવવામાં આવી રહી છે? NK ન્યૂઝનાં અનુસાર સેટેલાઇટ તસ્વીરો પરથી માહિતી મળે છે કે, સ્કાયરનાં તે પ્લેટફોર્મને ધ્વસ્ત કરી દેવામાં આવી છે, જ્યાંથી વરિષ્ઠ અધિકારી સૈન્ય પરેડ જોતા હતા. રિપોર્ટમાં તેમ પણ કહ્યું કે, સ્કાયરનાં પશ્ચિમની તરફથી વાહનોનાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news