બાલાકોટમાં ફરી ધમધમી રહ્યાં છે આતંકી કેમ્પ, આ ખતરનાક આતંકી આપે છે ટ્રેનિંગ

પાકિસ્તાનના પીઓકે સ્થિત બાલાકોટમાં અનેક આતંકી કેમ્પો ફરી સક્રિય થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ ભારત પર હુમલા માટે મસૂદ અઝહરનો સાળો 27 આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. 

બાલાકોટમાં ફરી ધમધમી રહ્યાં છે આતંકી કેમ્પ, આ ખતરનાક આતંકી આપે છે ટ્રેનિંગ

નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પીઓકે સ્થિત બાલાકોટમાં અનેક આતંકી કેમ્પો ફરી સક્રિય થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ ભારત પર હુમલા માટે મસૂદ અઝહરનો સાળો 27 આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. 

FATFની બેઠક બાદ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ બાલાકોટમાં જૈશના ટેરર કેમ્પ ફરી એકવાર એક્ટિવ થઈ ગયા છે. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ બાલાકોટમાં જૈશના 27 આતંકીઓને  ભારત પર હુમલા માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ 27 આતંકીઓમાંથી 19 પાકિસ્તાની આતંકીઓ છે અને 8 પીઓકેના છે. 

જુઓ LIVE TV

ગુપ્તચર અહેવાલ મુજબ બાલાકોટના આ ટેરર કેમ્પ્સનો ઈન્ચાર્જ મસૂદ અઝહરનો સાળો યુસૂફ અઝહર છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જૈશ કમાન્ડર ઝૂબેરને આતંકીઓની ટ્રેનિંગની જવાબદારી આપવામાં આવી છે. જે બાલાકોટની સાથે સાથે અફઘાનિસ્તાનમાં પણ સક્રિય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news