ઈમરાન ખાને PM મોદીને લખ્યો પત્ર, કહ્યું- પાકિસ્તાન અનેક મુદ્દાઓ પર વાત કરવા ઈચ્છુક

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું કે, કાશ્મીર મુદ્દા સહિત તમામ સમાધાન યોગ્ય સમસ્યાઓના સમાધાન માટે પાકિસ્તાન ભારત સાથે વાર્તા કરવા માંગે છે.

ઈમરાન ખાને PM મોદીને લખ્યો પત્ર, કહ્યું- પાકિસ્તાન અનેક મુદ્દાઓ પર વાત કરવા ઈચ્છુક

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે પોતાના ભારતીય સમકક્ષ પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું કે, કાશ્મીર મુદ્દા સહિત તમામ સમાધાન યોગ્ય સમસ્યાઓના સમાધાન માટે પાકિસ્તાન ભારત સાથે વાર્તા કરવા માંગે છે. હકીકતમાં એક દિવસ પહેલા જ ભારતે કહ્યું હતું કે, બિશકેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર બેઠક સિવાય આ બંને નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક યોજાશે નહીં. 

ભારતના વડાપ્રધાન પદ પર બીજા કાર્યકાળ બદલ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવતા ખાને પત્રમાં કહ્યું  કે બંને રાષ્ટ્રો વચ્ચે વાર્તા જ બંને દેશોના લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાનું એકમાત્ર સમાધાન છે તથા તે માટે એ જરૂરી છે કે ક્ષેત્રીય વિકાસ માટે સાથે મળીને કામ કરવામાં આવે. જિયો ટીવીના અહેવાલમાં આ જણાવાયું છે. 

ખાને કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દા સહિત તમામ સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે. મોદી સત્તામાં પાછા ફર્યા બાદ આવું બીજીવાર બન્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાને બંને દેશોના લોકોના ભલા માટે ભારત સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

જુઓ LIVE TV

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા આતંકી કેમ્પ પર 26 ફેબ્રુઆરીના રોજ ભારતે એર સ્ટ્રાઈક કર્યા પછી બંને દેશો લગભગ યુદ્ધની કગાર પર પહોંચી ગયા હતાં. લોકસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત પર 26મી મેના રોજ ઈમરાન ખાને વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ જવાબમાં ક્ષેત્રમાં વિશ્વાસ પેદા કરવાની તથા શાંતિ અને સમૃદ્ધિ માટે હિંસા તથા આતંકવાદ મુક્ત માહોલ બનાવવાની અપીલ કરી હતી. જો કે ભારતે વાર્તાની પાકિસ્તાનની રજુઆતને એમ કહીને ફગાવી દીધી હતી કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news