કુલભૂષણ કેસ: ICJમાં ઊંઘા માથે પટકાયા છતાં પણ પાકિસ્તાન ન સુધર્યું, આપ્યું આ નિવેદન

લભૂષણ જાદવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતે જબરદસ્ત ધોબીપછાડ આપી તો પણ પાકિસ્તાનની હાલત કઈંક એવી છે કે કૂતરાની પૂછડી વાંકી તે વાંકી, સીધી થાય નહીં. પાકિસ્તાની મીડિયા ICJના ચુકાદાને પોતાની જીત ગણાવી રહ્યું છે.

કુલભૂષણ કેસ: ICJમાં ઊંઘા માથે પટકાયા છતાં પણ પાકિસ્તાન ન સુધર્યું, આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: કુલભૂષણ જાદવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતે જબરદસ્ત ધોબીપછાડ આપી તો પણ પાકિસ્તાનની હાલત કઈંક એવી છે કે કૂતરાની પૂછડી વાંકી તે વાંકી, સીધી થાય નહીં. પાકિસ્તાની મીડિયા ICJના ચુકાદાને પોતાની જીત ગણાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ ટ્વીટ કરીને કઈંક આવી જ પ્રતિક્રિયા આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે આઈસીજેનો નિર્ણય સરાહનીય છે. તેમણે કુલભૂષણ જાધવને છોડી મૂકવાનું કહ્યું નથી. કુલભૂષણ પાકિસ્તાનના લોકો વિરુદ્ધ કરાયેલા અપરાધનો દોષિત છે. પાકિસ્તાન આ મામલે કાયદા મુજબ કાર્યવાહી કરશે. 

ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતને મોટી સફળતા મળી છે. 15-1 બહુમતના આધારે જજોએ ભારતીય પક્ષ દ્વારા રજુ કરાયેલી તમામ દલીલોને માનતા પાકિસ્તાનને કહ્યું છે કે તે આ કેસ પર પુર્ન વિચાર કરે. કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવવામાં આવે. તેમને કોન્સ્યુલર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ આ નિર્ણયને સંપૂર્ણ રીતે ભારતની જીત ગણાવ્યો છે. 

— Imran Khan (@ImranKhanPTI) July 18, 2019

બીજી બાજુ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ છે અને આ કેસ તેના માટે શર્મિન્દગીનું કારણ બન્યો છે. આવામાં એવા સવાલ ઉઠે કે કયા આધાર પર કહી શકાય કે આ કેસમાં ભારતની જીત થઈ? તેના સંદર્ભમાં આ પાંચ પોઈન્ટ પર નજર ફેરવવી જરૂરી છે. 

1. કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી છે

2. પાકિસ્તાનના રાષ્ટ્રીય ન્યાયાધિકાર ક્ષેત્રની મર્યાદા બતાવવામાં આવી. 

3. આઈસીજેએ પાકિસ્તાન મિલેટ્રી ટ્રાલને સ્વીકારી નહીં. પાકિસ્તાની મિલેટ્રેની છબી ફરીથી એકવાર ખરાબ થઈ. 

4. આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્વીકાર્યું કે પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો. એક પ્રકારે ભારતના તર્કને સ્વીકારવામાં આવ્યો. પાકિસ્તાન કુલભૂષણને કોન્સ્યુલર સુવિધા ઉપલબ્ધ કરાવે તે માટે નિર્દેશ અપાયા. 

5. ભારતના કાનૂની તર્કોને એકદમ યોગ્ય ઠેરવવામાં આવ્યાં. આઈસીજેમાં કેસને લઈ જવાનો તર્ક પણ યોગ્ય ઠેરવવામાં આવ્યો. 

જુઓ LIVE TV

કુલભૂષણનું પાકિસ્તાની આતંકી સંગઠને ઈરાનથી કર્યું હતું અપહરણ
કુલભૂષણ કેસમાં ભારત શરૂઆતથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાને ખોટા જાસૂસી કેસમાં તેમને ફસાવ્યાં છે. તેમને પાકિસ્તાનથી પકડવામાં નહતાં આવ્યાં પરંતુ ઈરાનથી તેમનું અપહરણ થયું હતું. 

આ કેસ અંગે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે કુલભૂષણ જાધવનું ઈરાનના ચાબહારથી પાકિસ્તાનના એક આતંકી સંગઠને અપહરણ કર્યું હતુ અને બાદમાં તેમને પાકિસ્તાન લઈ જઈ ગુપ્તચર  એજન્સી આઈએસઆઈના હવાલે કરી દેવાયા  હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આઈએસઆઈએ જૈશ અલ અદલ સંગઠનનો ઉપયોગ કરીને કુલભૂષણ જાધવને પકડ્યા હતાં. ભારતીય એજન્સીઓ પાસે એ વાતના પૂરતા પુરાવા છે કે કયા પ્રકારે જાધવને પાક એજન્સીોએ જાસૂસીના ખોટા કેસમાં ફસાવ્યાં. 

પાકિસ્તાન અને ઈરાનનો સરહદી વિસ્તાર અસ્થિર વિસ્તાર ગણાય છે. પાકિસ્તાન જૈશ અલ અદલ સંગઠનનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ પણ કરે છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મજબ આ સરહદી વિસ્તારોમાં થનારી આતંકી ગતિવિધિઓમાં પાકિસ્તાનનું સમર્થન પણ મનાય છે. હાલમાં જ અમેરિકાએ જૈશ અલ અદલ સંગઠનને ઈરાનના આતંકી સંગઠન જુનદુલ્લાહ સાથે સંકળાયેલું જાહેર કર્યું છે.  જુનદુલ્લાહને અમેરિકાએ વૈશ્વિક આતંકી સંગઠન તરીકે ખાસ રીતે દર્શાવ્યું છે. 

માર્ચ 2016માં થઈ હતી ધરપકડ
પાકિસ્તાને 3 માર્ચ 2016ના રોજ કુલભૂષણની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાનનો આરોપ છે કે કુલભૂષણ જાધવ એક બિઝનેસમેન નહીં પરંતુ જાસૂસ છે. એપ્રિલ 2017માં પાકિસ્તાનની મિલેટ્રિ કોર્ટે કુલભૂષણને મોતની સજા સંભળાવી હતી. મે 2017માં  ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં આ મામલો ઉઠાવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news