દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.11 કરોડને પાર, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1.11 કરોડને પાર પહોંચી ગયો છે. ત્યારે વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 5.29 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ મહામારી સામે જંગ જીતી અત્યાર સુધીમાં 63.45 લાખ લોકો સાજા થયા છે.
દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.11 કરોડને પાર, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1.11 કરોડને પાર પહોંચી ગયો છે. ત્યારે વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 5.29 લાખથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ મહામારી સામે જંગ જીતી અત્યાર સુધીમાં 63.45 લાખ લોકો સાજા થયા છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ શનિવારે નવા આંકડા જાહેર કરીને તેની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ ચીનના વુહાનથી શરૂ થયેલ ખતરનાક વાયરસ કોવિડ -19એ અમેરિકામાં હોબાળો મચાવ્યો છે. અહીં સૌથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જો આંકડા જોઈએ તો યુ.એસ.માં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને વટાવી ગઈ છે, જ્યારે 1.29 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોનાથી બીજો સૌથી વધારે પ્રભાવિત દેશ બ્રાઝીલ છે. અંહી કોરોના દર્દીઓના આંકડો 1.49 લાખને પાર કરી ગયો છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 61,844 લોકોએ કોરોના સામે હારી પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે લોકડાઉન છતા ઝડપથી વધી રહેલા કોરોના મામલે જોઇએ તો અમેરિકા, ભારત, ડેનમાર્ક અને ઇટાલી સહિત દુનિયાભરના દેશોએ કોરોનાને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાંથી છૂટછાટ આપવાની શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news