કેલિફોર્નિયાની મસ્જિદમાં આગ, ન્યૂઝીલેન્ડના હુમલાનો ઉલ્લેખ કરતો પત્ર મળ્યો

પોલીસે જણાવ્યું કે, રવીવારે સર્જાયેલી આ ઘટનામાં એક પણ વ્યક્તિ ઘાયલ થઈ નથી 

કેલિફોર્નિયાની મસ્જિદમાં આગ, ન્યૂઝીલેન્ડના હુમલાનો ઉલ્લેખ કરતો પત્ર મળ્યો

એસ્કોન્દિદોઃ અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાની એક મસ્જિગદમાં આગ લાગવાની એક ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાસ્થળેથી ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતો એક પત્ર પણ મળ્યો છે. આથી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસે જણાવ્યું કે, રવીવારની આ ઘટનામાં સદનસીબે કોઈ ઘાયલ થયું નથી અને ઈસ્લામિક સેન્ટર ઓફ એસ્કોન્દિદોના સભ્યોએ ફાયરફાઈટર આવે એ પહેલા જ આગ બુઝાવી દીધી હતી. મસ્જિદમાં સાધારણ આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આગચંપી અને ઘૃણા અપરાધની આશંકાની દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

પોલીસ લેફ્ટનન્ટ ક્રિસ લીકે જણાવ્યું કે, પાર્કિગ સ્થળમાંથી એક પત્ર પણ મળ્યો છે, જેમાં ચાલુ મહીને ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરાયો છે. આ હુમલામાં 50 લોકોનાં મોત થયા હતા. 

તેમણે એ જણાવવાનો ઈનકાર કર્યો કે પત્રમાં શું લખ્યું છે. તપાસ અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિ અંગેની પણ કોઈ માહિતી આપી નથી. પોલીસે કેએનએસડી ટીવીને જણાવ્યું કે, ઘટના સમયે મસ્જિદમાં 7 લોકો હાજર હતા. તેમણે ફાયર ફાઈટર પહોંચે એ પહેલા જ અગ્નિશામકનો ઉપયોગ કરીને આગને બુઝાવી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news