ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાનને કહ્યું -'ભારત વિરુદ્ધ સંભાળીને બોલો, ભડકાઉ નિવેદન ન આપો'

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો ન આપવા જણાવ્યું છે. આ સાથે જ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર લગભગ 30 મિનિટ વાત કર્યા  બાદ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે 12 મિનિટ વાત કરી હતી. ટ્રમ્પે તેમને ભારત વિરુદ્ધ સંભાળીને નિવેદનો આપવાનું કહ્યું. 

ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાનને કહ્યું -'ભારત વિરુદ્ધ સંભાળીને બોલો, ભડકાઉ નિવેદન ન આપો'

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો ન આપવા જણાવ્યું છે. આ સાથે જ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર લગભગ 30 મિનિટ વાત કર્યા  બાદ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે 12 મિનિટ વાત કરી હતી. ટ્રમ્પે તેમને ભારત વિરુદ્ધ સંભાળીને નિવેદનો આપવાનું કહ્યું. 

હકીકતમાં પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાની નેતાઓ દ્વારા ભારત વિરુદ્ધ હિંસા માટે 'ઉગ્ર નિવેદનબાજી અને ઉશ્કેરણી'નો મુદ્દો ઉઠાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ઈમરાન ખાન રોજ ટ્વીટર પર ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યાં છે. 

વ્હાઈટ હાઉસ દ્વારા નિવેદનમાં જણાવાયું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ફોન પર વાત કરી. રાષ્ટ્રપતિએ બંને દેશોને તણાવ ટાળવાની અપીલ કરી. 

જુઓ LIVE TV

છેલ્લા ચાર દિવસમાં આ બીજીવાર બન્યું છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈમરાન ખાન સાથે વાતચીત થઈ છે. ઈમરાન ખાને ગત શુક્રવારે યુએન સુરક્ષા પરિષદની બેઠક અગાઉ ટ્રમ્પ સાથે વાત કરી હતી. પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું છે કે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરે પરંતુ અમેરિકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે બંને દેશો દ્વિપક્ષીય વાર્તા કરીને તમામ મુદ્દાઓનો ઉકેલ લાવે. 

પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 30 મિનિટ થઈ વાત
આ બાજુ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370માં બદલાવ આવ્યાં બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે. કહેવાય છે કે બંને નેતાઓ વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાત થઈ. પીએમ મોદીએ ટ્રમ્પ સાથે વાતચીતમાં આતંકવાદ અને સરહદે સુરક્ષા મુદ્દે વાતચીત કરી. પીએમ મોદીએ ઈમરાન ખાનનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે કેટલાક નેતાઓના નિવેદનો શાંતિ માટે જોખમ છે. સરહદપારથી આતંકવાદ રોકવો જરૂરી છે. કહેવાય છે કે આ વાતચીત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર આધારિત હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news