અંજારના ડોક્ટર દંપતિનો અનોખો પ્રયોગ

આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન પદ્ધતિથી રહેણીકરણી રાખવી ઘણી અઘરી છે ત્યારે અંજારના તબીબ દંપતી દ્વારા પોતાના ઘરને જૂની પેઢીની યાદ અપાવે તેવું બનાવ્યું છે. પોતાના રહેણાંક મકાનમાં ગાયના છાણનું લીંપણ કરી અને દરેક રૂમને વિવિધ રીતે સુશોભિત બનાવ્યો છે. રસોઈ પણ ચુલા ઉપર બને છે અને ભોજન પણ માટીના વાસણોમાં જ આરોગવામાં આવે છે. આમ, તબીબી સેવાની સાથે ભારતીય પરંપરા પણ જળવાઈ અને પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેની આ દંપતી કાળજી રાખે છે.

Trending news