સમાચાર ગુજરાત: નિત્યાનંદ આશ્રમ કેસની બંને બહેનો સોશિયલ મીડિયા પર સક્રિય

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આજે બંને આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને વધુ દોઠ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આજે સરકારી વકીલ તરફથી કોર્ટમાં રિમાન્ડ અરજી પર રજુઆત કરી કે બંને આરોપી રીઢા છે, માટે તપાસમાં અને પૂછપરછમાં સહકાર આપતા નથી. આ ઉપરાંત પોલીસે વધુ 3 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટમાં રજુઆત કરી કે તપાસ દરમ્યાન આરોપીઓના ડિઝિટલ લોકર મળી આવ્યા છે.

Trending news