પ્રધાનમંત્રી મોદીએ ક્વોરન્ટાઈન દરમિયાન યોગ કરી સ્વસ્થ રહેવાનો આપ્યો સંદેશ

પ્રધાનમંત્રી મોદીએ ક્વોરન્ટાઈન દરમિયાન દેશવાસીઓને યોગ કરી સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો છે. રવિવારે મન કી બાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીને કેટલાક લોકોએ, તેઓ ફિટનેસ માટે શું કરે છે તેવો સવાલ કર્યો હતો. જે બાદ પ્રધાનમંત્રી મોદીએ યોગના વીડિયો શેર કર્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું કે, તેઓ કોઈ ફિટનેસ એક્સપર્ટ કે મેડિકલ એક્સપર્ટ નથી. પણ યોગ વર્ષોથી મારાથી જીવનશૈલીનો ભાગ રહ્યો છે. મને તેનાથી ઘણો લાભ પણ થયો છે. તમે પણ આ વીડિયો બીજા લોકો સાથે શેર કર્યો. પ્રધાનમંત્રીની યૂટ્યુબ ચેનલ પર આ વીડિયો મુકવામાં આવ્યા છે. જે અલગ અલગ ભાષામાં છે.

Trending news