પીએમ નરેંદ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં લેશે ગુજરાતની મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વાર ગુજરાત પ્રવાસે આવશે. આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વિદેશ મંત્રાલય ની વાર્ષિક કોંફરન્સ ને લઈને પીએમ મોદી ગુજરાત આવશે. પહેલીવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સ યોજાવા જઈ રહી છે. ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નિશ્રા માં અને ટેન્ટ સીટી ખાતે આ વાર્ષિક કોંફરન્સનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પીએમ મોદી, વિદેશમંત્રી ડો એસ જયશંકર સંબોધન કરશે. જ્યારે તમામ દેશોમાં આવેલા ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

Trending news