PM મોદીના હસ્તે આજથી ખેડૂત યોજનાની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાની શરૂઆત કરશે. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો જમા કરવામાં આવશે. કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગામી બે-ત્રણ દિવસોમાં અન્ય એક કરોડ ખેડૂતોને આ લાભ પહોંચતો કરવામાં આવશે.

Trending news