મહા વાવાઝોડું થોડું નબળું પડતા જાફરાબાદનો દરિયો આજે શાંત

અરબી સમુદ્રમાં મહા નામક વાવાજોડું સમુદ્રમાં આગળ વધી રહ્યું છે જેની અસર સૌરાષ્ટ્ના અને દરિયા કિનારે જોવા મળી રહી છે ત્યારે ખાસ કરી ને અમરેલી જિલ્લાના જાફરાબાદનો દરિયો આજે શાંત જોવા મળી રહ્યો છે. વાવાજોડું થોડું નબળું પડ્યું છે તે રાહતના સમાચાર છે પરંતુ તેની અસર અમરેલી જિલ્લાના દરિયા કાંઠામાં જુવા મળી રહી છે.અહીં અમરેલી જિલ્લાના જાફરાબાદના અને પીપાવાવના દરિયામાં એકથી બે ફૂટના મોજા ઉછળી રહ્યા છે.ગઈ કાલે જે બોટો માછીમારી કરવા ગઈ હતી તે આજે વહેલી સવારથીજ પરત આવી રહી છે.તંત્ર પણ સાવચેતીના પગલે એલર્ટ જોવા મળી રહ્યું છે.

Trending news