દ્વારકા મંદિર આરપાસ ગેરકાયદેસર બાંધકામોને લઇ ઉઠ્યા સવાલ

જગત મંદિર નજીક દબાણો વધી રહ્યા હોય ત્રણ વર્ષ પહેલા સાંસદ પરિમલ ભાઈએ સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈ નક્કર કામગીરી ન કરતા જગત મંદિરનાં ઉપાધ્યક્ષ એવા ધનરાજ નથવાણી આજે ટ્વીટ કરી તંત્રની બેદરકારી સામે લાવી હતી. ત્યારે જગત મંદિર નજીક અનેકવાર પાલિકા દ્વારા દબાણ હટવવાની શરુઆતો કરી અટકી જાય છે. ત્યાર બાદ કોઈ નક્કર પગલાં ન લેતા અશામજીક તત્વો દ્વારા દબાણો યથાવત રાખી દેવામાં આવે છે. આ અંગે ચીફ ઓફિસર દ્વારા જવાબો વાળતા 65 અને 76 જેટલા દબાણોનું લીસ્ટ હજાર હોવાનું જણાવી દોષનો ટોપલો આરકોલોજી પર પણ ઢોળ્યો હતો.

Trending news