ગામડું જાગે છેઃ ગીરસોમનાથમાં માવઠાને કારણે પાક અને ઘાસચારાને નુકસાન

ગીરસોમનાથમાં માવઠાના કારણે મગફળી અને સોયાબીનના પાકને નુકસાન પહોંચ્યુ છે. હવે પાક તો ઠીક પણ પશુધનનો ચારો પણ બગડ્યો છે. રવીપાક માટે ખેતરોમાંથી સડી ગયેલા પાકને દૂર કરવાની મહેનત શરુ કરી છે. તંત્ર દ્વારા સર્વે તો હાથ ધરાયો પણ જાણે અધિકારીઓની લાલિયાવાડી જોવા મળતી હોય તેવો આરોપ મૂકાયો છે.

Trending news